સાપુતારા : સાપુતારા માલેગામ ત્રણ કિમીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાહન ચાલકો માટે ગોઝારો બની રહ્યો છે.નાસિકથી દ્રાક્ષનો જથ્થો ભરી સુરત જતા બે આઇસર ટેમ્પો રેસ્ટ હાઉસ પાસેના વળાંકમાં 50 ફૂટના અંતરે ઉપરાછાપરી પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ સાપુતારાથી માલેગામ ત્રણ કિમિનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર અકસ્માતનો સિલસિલો જારી રહેતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે.માલેગામ રેસ્ટ હાઉસ પાસેના વળાંકમાં 50 ફૂટ ના અંતરે બે જુદાં જુદાં આઉસર ટેમ્પોમાં દ્રાક્ષ નો જથ્થો ભરી સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક એકજ સ્થળે બે ટેમ્પોના ચાલકોએ સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા એક ટેમ્પો માર્ગ સાઈડે ખુંપી જતા ચાલક ક્લીનરનો આબાદ બચાવ થયો હતો, જ્યારે માત્ર 50 ફૂટના અંતરે આગળ જઇ રહેલા અન્ય આઇસર ટેમ્પો ધડાકાભેર સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં ચાલક ક્લીનર ને ઇજા થવા સાથે દ્રાક્ષનો જથ્થો ખીણમાં વેરવિખેર થવા સાથે ટેમ્પોને પણ જંગી નુકસાન થયું હતું.ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અપાઈ હતી.સાપુતારા માલેગામના આ ગોઝારા વળાંક પાસે છાસવારે અકસ્માત સર્જાતા હોય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી દ્વારા કોઈ દિશા સૂચક બોર્ડ કે સૂચના ન લગાવતા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.બનાવ સંદર્ભે સાપુતારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


