વૉશિંગ્ટન : યુક્રેન યુદ્ધના પગલે અમેરિકાએ ભારત પર તેના લશ્કરી સંસાધનોમાં રશિયા પરનું અવલંબન ઘટાડવા માટે દબાણ કર્યુ છે.અમેરિકાના સંરક્ષણ મથક પેન્ટાગોનના પ્રવક્તા સેક્રેટટરી જોન કિર્બીએ જણાવ્યું હતું કે સંરક્ષણ જરૂરિયાતો માટે રશિયા પરનો ભારતનો આધાર ઘટાડે.આ ટિપ્પણી તેવા સમયે આવી છે જ્યારે યુક્રેન પર રશિયાના આક્રમણ છતાં પણ ભારતે હજી સુધી રશિયાની ટીકા કરી નથી. તેનાથી પશ્ચિમ અને તેમા પણ ખાસ કરીને અમેરિકા અને બ્રિટન નારાજ છે.તે સર્વવિદિત છે કે ઓક્ટોબર ૨૦૧૮માં ભારતે રશિયા સાથે ટ્રાયમ્ફ એર ડીફેન્સ સીસ્ટીમના પાંચ એકમો ખરીદવા માટે ડોલર પાંચ અબજનો સોદો કર્યો હતો.આ અંગે તે સમયના ટ્રમ્પ વહીવટી તંત્રે ચેતવણી પણ આપી હતી કે, આ સોદો ભારત પર પ્રતિબંધો લાવશે તેમ છતાં ભારતે તે સોદો કર્યો જ હતો.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ તુર્કી ઉપર કાઉન્ટરીંગ અમેરિકાઝ એડવર્ઝરીઝ થુ્ર સેેક્શન એક્ટ (CAATSA)નીચે પ્રતિબંધો લાદી દીધા હતા.પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી જ્હોન કીર્બીએ એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે, અમે ભારત તથા અન્ય દેશોને સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે તેઓ સંરક્ષણ જરૂરિયાતો માટે રશિયા ઉપર આધાર રાખે તેમ ઇચ્છતા નથી અમે તે અંગે પ્રમાણિકપણે કહીએ છીએ કે તેમણે સંરક્ષણ જરૂરિયાતો માટે રશિયા ઉપરનો આધાર ઘટાડવો જ જોઈએ.તુર્કી ઉપર પણ તેણે રશિયા પાસેથી S-400 મિસાઇલ ડીફેન્સ સીસ્ટીમ ખરીદવા માટે પ્રતિબંધો લાદ્યા હતા તેમ કહેતા કીર્વીએ જણાવ્યું હતું કે આમ છતાં અમે ભારત સાથેની સંરક્ષણ ભાગીદારીને બહુમૂલ્ય ગણીએ છીએ તે મહત્ત્વની છે અને તે ચાલતી જ રહેશે.