By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પૂર્વોત્તરમાં પહેલા બોમ્બ-ગોળીબારના અવાજ આવતા, હવે તાળીઓ ગૂંજે છે : મોદી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પૂર્વોત્તરમાં પહેલા બોમ્બ-ગોળીબારના અવાજ આવતા, હવે તાળીઓ ગૂંજે છે : મોદી
GeneralNational

પૂર્વોત્તરમાં પહેલા બોમ્બ-ગોળીબારના અવાજ આવતા, હવે તાળીઓ ગૂંજે છે : મોદી

HM News
Last updated: 29/04/2022 4:57 AM
HM News
3 years ago
Share
SHARE

દીપ્હુ, તા.૨૮ : પૂર્વોત્તરના રાજ્યોમાં એક સમયે બોમ્બ અને ગોળીબારના અવાજો સંભળાતા હતા, પરંતુ હવે અહીં તાળીઓનો અવાજ ગુંજે છે.આ રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો આવતાં અનેક વિસ્તારોમાંથી આફસ્પા હટાવાયો છે અને અન્ય વિસ્તારોમાંથી હટાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘શાંતિ, એકતા અને વિકાસ’ રેલીને સંબોધન કરતા કહ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આસામના દીપ્હુથી એક રેલીને સંબોધન કરતા કહ્યું કે ભાજપની ડબલ એન્જિન સરકારના પ્રભાવથી આસામમાં સ્થાયી શાંતિ અને ઝડપી ગતિએ વિકાસ થતો જોવા મળી રહ્યો છે.કેન્દ્ર સરકારે નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં આફસ્પા હેઠળ આવતા અસરગ્રસ્ત વિસ્તારોને દાયકાઓ પછી ૧લી એપ્રિલથી ઘટાડવાની જાહેરાત કરી હતી.સરકારે આસામના કાર્બી, આંગલોંગ અને ત્રિપુરામાં શાંતિ સમજૂતીઓ કરી છે જ્યારે સંપૂર્ણ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ લાવવા અને ઝડપી ગતિએ વિકાસ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ગૃહમંત્રાલયે જણાવ્યું હતુ ંકે, પૂર્વોત્તરના રાજ્યોમાં છેલ્લા આઠ વર્ષમાં ઘૂસણખોરીની ઘટનાઓમાં ૮૦ ટકા જ્યારે સલામતી દળોના જવાનોની શહીદીમાં ૭૫ ટકા તથા નાગરિકોનાં મોતમાં ૯૯ ટકાનો ઘટાડો નોંધાયો છે.ગૃહમંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ પૂર્વોત્તરના રાજ્યોમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૨૦ના સમયમાં સલામતીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.૨૦૨૦માં ઘૂસણખોરી કે સલામતી દળો પર હુમલાની સૌથી ઓછી ઘટના નોંધાઈ છે.આ સાથે વડાપ્રધાન મોદીએ કાર્બી આંગલોંગમાં પશુ ચિકિત્સા વિજ્ઞાાન અને કૃષિ કોલેજો તથા એક મોડેલ સરકારી કોલેજનો શિલાન્યાસ કર્યો હતો.વધુમાં વડાપ્રધાને ૬ કેન્સર હોસ્પિટલોનું ઉદ્ધાટન પણ કર્યું હતું. મોદીએ કહ્યું કે, પૂર્વોત્તરમાં કેન્સર મોટી સમસ્યા છે.કેન્સરની સૌથી વધુ ગંભીર અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર થાય છે.

ઠાકરે પરિવાર પાસેથી ધનુષબાણ છીનવી લેવાની હિંમત કોઈનામાં નથી
નેત્રંગના નગરજનો વિફર્યા : જો 15 દિવસમાં રસ્તા,ગટર અને સફાઈ નહિ થાય તો તાલુકા પંચાયતને તાળાબંધી કરશે
કોરિયોગ્રાફર રેમો ડિસૂજાના સાળાએ કરી આત્મહત્યા,મુંબઈ સ્થિત ઘરમાંથી મળ્યો મૃતદેહ
ચીન પરની નિર્ભરતા ખતમ કરો : અમેરિકન કંપનીઓને ચીનમાંથી પછી બોલાવી લ્યો : અમેરિકન કોંગ્રેસમેન થોમ ટીલિસ
અમેરિકન પ્રમુખ જો બાઈડેન યુદ્ધગ્રસ્ત યુક્રેનની મુલાકાતે જાય તેવી શક્યતા
Share This Article
Facebook Email Print
Previous Article ધર્મના નામે વાતાવરણ ખરાબ કરનારાને સાંખી નહીં લેવાય : યોગી
Next Article દેશમાં ગરમી સંબંધિત જીવલેણ બીમારી વધવાનું જોખમ : નિષ્ણાતો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up