મુંબઇ : એર ઇન્ડિયાના છેલ્લા ચાર બોઇંગ વિમાનોને ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન -ડીજીસીએ દ્વારા આ અઠવાડિયે ડિરજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે.આ વિમાનોને ૧૯૭૧માં એર ઇન્ડિયાના કાફલામાં સામેલ કરવામાં આવ્યા હતા.હાલ આ વિમાનો જાળવણીના અભાવે ખરાબ હાલતમાં છે.એર ઇન્ડિયા બોઇંગ ૭૪૭ વિમાનો છેલ્લા ૫૧ વર્ષથી ઉડાડે છે.એપ્રિલ ૧૯૭૧થી એપ્રિલ ૨૦૨૨સુધી આ વિમાનો નિયમિત રીતે વાપરવામાં આવ્યા હતા.અગાઉ બે બોઇંગ વિમાનો માત્ર વીવીઆઇપીઓના પ્રવાસ માટે જ અનામત રાખવામા ં આવતા હતા.આ બે વિમાનોમાં વડા પ્રધાન, રાષ્ટ્ર પતિ અને ઉપરાષ્ટ્રપતિઓ પ્રવાસ કરતાં હતા.કેન્દ્ર સરકારે વીઆઇપીઓના પ્રવાસ માટે વિશેષ વિમાનો વસાવ્યા તે પછી આ ૭૪૭ બોઇંગ વિમાનોને મધ્યપૂર્વના સેક્ટરમાં વાપરવામાં આવ્યા હતા.જ્યારે એર ઇન્ડિયાને તાતા જૂથને વેચી મારવામાં આવી ત્યારે મેનેજમેન્ટે આ વિમાનોને નવો આપ આપવાનું પસંદ કર્યું નહોતું કેમ કે તેમાં મોટો ખર્ચ થાય તેમ હતો.બોઇંગ ૭૪૭ વિમાનો ઉડાડતા પાઇલટ્સને બોઇંગ ૭૮૭ ઉડાડવાના કામે લગાડવામાં આવ્યા છે.
એવિએશનના અભ્યાસુ દેબાશિષ ચક્રવર્તિએ જણાવ્યું હતું કે મારા પિતા ડીએમ ચક્રવર્તિએ ૭૪૭-૨૦૦ અને ૭૪૭ -૩૦૦ ઉડાડયા હતા.૧૯૬૯માં જ્યારે એર ઇન્ડિયાએ બોઇંગ ૭૪૭નો પહેલીવાર ઓર્ડર આપ્યો ત્યારે બોઇંગે ઇન્ડિયન એરફોર્સની પરિવહન વિંગના સૌથી અનુભવી પાઇલટ્સને મોકલવા માટે તાકીદ કરી હતી.એ સમયે મારા પિતાને એર ઇન્ડિયામાં ડેપ્યુટ કરવામાં આવ્યા હતા.તેમણે ૧૯૭૧માં ૭૦૭-૩૦૦ અને ૭૦૭-૪૦૦ ઉડાડયા હતા.તેમણે ભારતમાં ૧૯૭૧માં બોઇંગ ૭૪૭ ઉડાડવાની શરૂઆત કરી હતી.એ સમયે અર ઇન્ડિયા પાસે તેની માલિકીના ૨૦ જેટલા બોઇંગ ૭૪૭ વિમાનો હતા.
હાલ લુફ્તહંસ અને કોરિયન એર દ્વારા બોઇંગ ૭૪૭ વપરાશમાં લેવાય છે.એર ઇન્ડિયાના ત્રણ બોઇંગ ૭૪૭ ચાલુ હાલતમાં છે.છેલ્લે કોરોના મહામારી દરમ્યાન આ વિમાનોને ઉડાડવામાં આવ્યા હતા. બોમ્બે ફલાઇંગ કલબના પ્રેસિડેન્ટ કેપ્ટન મિહિર ભગવતીએ જણાવ્યું હતું કે આ વિમાનોને ભંગારમાં કાઢી નાંખવાને બદલે એર ઇન્ડિયાએ એક યાદગીરી તરીકે આ વિમાનોને સાચવી રાખવા જોઇએ.હવાઇદળના જૂના વિમાનોને જેમ સ્ટ્રીટમાં સુશોભન તરીકે મુકવામાં આવે છે તેમ આ વિમાનોને પણ સુશોભન તરીકે વાપરી શકાય તેમ છે.


