By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મનપાએ રીબેટ યોજના લંબાવતા મિલ્કત વેરાની આવકમાં ઘટાડો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મનપાએ રીબેટ યોજના લંબાવતા મિલ્કત વેરાની આવકમાં ઘટાડો
GeneralGujarat Now

મનપાએ રીબેટ યોજના લંબાવતા મિલ્કત વેરાની આવકમાં ઘટાડો

HM News
Last updated: 03/05/2022 5:27 AM
HM News
3 years ago
Share
SHARE

ભાવનગર : ભાવનગર મહાપાલિકાએ રીબેટ યોજના લંબાવતા વેરાની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.આજે સોમવારે મહાપાલિકાને વેરાની રૂ. ૧.૧ર કરોડની આવક થઈ હતી. રીબેટ યોજના ગત એપ્રિલ માસમાં પૂર્ણ થવાની હતી તેથી અંતિમ દિવસોમાં મનપાને વેરાની સારી આવક હતી, જેની સરખામણીએ હાલ આવક ઘટી હોવાનુ જણાય રહ્યુ છે.રીબેટ યોજનાના પગલે આગામી દિવસોમાં મનપાને હજુ વેરાની આવક વધશે તેમ જણાય રહ્યુ છે.મહાપાલિકામાં આજે સોમવારે રીબેટ યોજનાના પગલે મિલ્કત વેરાની રૂ. ૧.૧ર કરોડની આવક થઈ હતી, જેમાં ર૦૧૧ કરદાતાએ વેરો ભરી રીબેટ યોજનાનો લાભ લીધો હતો. ૧ર૬૬ કરદાતાએ ઓનલાઈન રૂ. ૮૩ લાખનો વેરો ભર્યો હતો અને ૧ર ટકા રીબેટ મેળવ્યુ હતું. ૭પ૦ કરદાતાએ મનપાની બારીએ રૂ. ૩૦ લાખનો વેરો ભર્યો હતો તેમ ઘરવેરા વિભાગના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે.ત તા. ૩૦ એપ્રિલે ૧૦ ટકા રીબેટ યોજના પૂર્ણ થવાની હતી તેથી છેલ્લા ૧૦ દિવસ વેરો ભરવા કરદાતાનો ધસારો જોવા મળ્યો હતો અને મનપાને આશરે રૂ. ૪ કરોડથી વધુની વેરાની આવક થતી હતી.એક દિવસ મનપાને રૂ. ૯ કરોડની આવક થઈ હતી આટલી વેરાની આવક મનપાને કયારેય થઈ નથી.

મહાપાલિકાએ સાધારણ સભામાં ૧૦ ટકા રીબેટ યોજના ૧૦ દિવસ લંબાવવાની જાહેરાત કરી હતી તેથી આગામી તા. ૧૦ મે સુધી રીબેટ યોજના ચાલશે.મહાપાલિકાએ રીબેટ યોજના લંબાવતા કરદાતાઓને રાહત થઈ ગઈ છે તેથી હાલ ઓછા કરદાતાઓ વેરો ભરી રહ્યા છે.૧૦ ટકા રીબેટ યોજના પૂર્ણ થવાના છેલ્લા ત્રણ-ચાર દિવસ ફરી વેરો ભરવા કરદાતાનો ધસારો વધશે તેમ જણાય રહ્યુ છે.આવતીકાલે મંગળવારે રમજાન ઇદની જાહેર રજા છે પરંતુ જાહેર રજામાં પણ મનપા દ્વારા મિલ્કત વેરો સ્વિકારવામાં આવશે તેથી કરદાતા રીબેટ યોજનાનો લાભ મેળવી શકશે.રીબેટ યોજના મનપાને ફળી છે અને કરોડો રૂપીયાની આવક થઈ છે.

Russia Ukraine War: બોમ્બ વિસ્ફોટો વચ્ચે 19 સરોગેટ બાળકોના જીવ જોખમમાં
SC : રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવાની માંગ કરતા સુબ્રમણ્યમ સ્વામીએ દાખલ કરી PIL
YOUTUBE પર મોદી વિરોધી વીડિયો મુકવા બદલ ગૂગલના સુંદર પિચઇ સામે FIR નોંધાય
મુંબઇમાં કયા-કયા પ્રકારની દુકાનોને ખોલવાની મંજુરી
એવું શું થયું કે શાંતિપ્રિય જૈન સમુદાય પણ રસ્તા પર ઉતર્યો? જાણીએ સરળ શબ્દોમાં
Share This Article
Facebook Email Print
Previous Article આજે ઈદ-ઉલ-ફિત્રની હર્ષોલ્લાસભેર ઉજવણી
Next Article આવતીકાલથી શહેરમાં 6 કલાકનો વીજકાપ ઝીંકાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up