દુનિયાના ખાસ કરીને ભાગમાં આ સમયે કોરોના વાયરસે આતંક મચાવી રાખ્યો છે અને મોટી સંખ્યામાં ઘણા લોકો તેનાથી દૂર ભાગી રહ્યા છે. તાજા કેસ જર્મનીથી સામે આવ્યા છે. જ્યાં ચાન્સલર એંજલા મર્કેલાને ક્વોરન્ટાઇન થવું પડ્યું છે. જોકે, મર્કેલના ટેસ્ટ હાલ થવાના બાકી છે અને હવે જોવાનું રહ્યું કે કોવિડ19 ઇન્ફેક્શન માટે પોઝિટિવ છે કે નહીં. જર્મનીમાં અત્યાર સુધી કોરોનાને લઇને 93 લોકોના મોત નીપજ્યા છે.
કોરોના પર કોન્ફરન્સ બાદ ક્વોરન્ટાઇ થઇ એન્જેલા
ખરેખર, એંજલાને થોડકા સમય પહેલા એક ડોક્ટરે ન્યૂમોકોકલ ઇન્ફેક્શન માટે વેક્સીન આપી હતી. આ ડોક્ટર બાદમાં કોરોના વાયરસ માટે પોઝિટિવ આવ્યા. તેની જાણકારી મર્કેલને પ્રેસ કોન્સફરન્સ કર્યા બાદ આપવામાં આવી. મર્કેલ કોરોનાથી બચાવ માટે જરૂરી પગલા ઉઠાવવાને લઇને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. મર્કેલના પ્રવક્તા સ્ટેફન સીબર્ટના મુજબ મર્કેલના જરૂરી ટેસ્ટ કરવામાં આવશે અને તે આ દરમિયાન તેમના ઘરમાંથી જ કામ કરશે.
જર્મનીમાં સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમ
આઇસોલેશન પર જવાથી પહેલા મર્કેલે બે અઠવાડિયા માટે સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમ જારી કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તમારા ઘરમાંથી બહાર માત્ર એક વ્યક્તિના સંપર્કમાં આવવાની મંજૂરી હશે. રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપવામાં આવી પરંતુ તે માત્ર ટેકઆઉટ અને ડિલિવરી સર્વિસ માટે.. હેર ડ્રેસપ મસાજ સ્ટૂડિયો અને ટેટુ પાર્લર બંધ કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા. લોકોથી દોઢ મીટર દૂર રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે.
કોરોનાનો ગઢ બની ગયું છે યુરોપ
જર્મનીમાં અત્યાર સુધી 24806 લોકોને કોરોના વાયરસ માટે પોઝિટિવ આવ્યા છે. અને 266 ઇલાજ બાદ સારા થઇ ગયા છે યુરોપ હવે કોરોના વાયરસનો ગઢ બનતો જઇ રહ્યો છે. ઇટલી, સ્પેન અને જર્મની કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાં ટૉપ 5માં પહોંચી ચુક્યા છે. ઇટલીમાં રવિવારે મરનારની સંખ્યા 5500ની નજીક પહોંચી ગઇ છે.