By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગેરકાયદે દરોડા પાડવા બદલ સીબીઆઇના ચાર સબ ઇન્સ્પેક્ટર બરતરફ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગેરકાયદે દરોડા પાડવા બદલ સીબીઆઇના ચાર સબ ઇન્સ્પેક્ટર બરતરફ
GeneralNational

ગેરકાયદે દરોડા પાડવા બદલ સીબીઆઇના ચાર સબ ઇન્સ્પેક્ટર બરતરફ

HM News
Last updated: 13/05/2022 4:02 AM
HM News
3 years ago
Share
SHARE

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૨ : ચંડીગઢની એક કંપની પર બિન સત્તાવાર દરોડા પાડવામાં સંડોવાયેલા પોતાના ચાર સબ ઇન્સ્પેક્ટરોને સીબીઆઇએ બરતરફ કરી દીધા છે.નાણાં પડાવવા માટે આ દરોડા પાડવામાં આવ્યા પછી આ ચાર ઇન્સ્પેકટરોની ધરપકડ કરી લેવામાં આવી હતી.ભ્રષ્ટાચાર સામે કડક નીતિનો અમલ ચાલુ રાખતા સીબીઆઇ ડાયરેક્ટર સુબોધ કુમાર જૈસવાલે આ ચાર અધિકારીઓમને સર્વિસમાંથી બરતરફ કરવાના નિર્દેશ આપ્યા હતાં.

સીબીઆઇના દિલ્હી યુનિટમા કાર્યરત ચાર સબ ઇન્સ્પેક્ટર સુમિત ગુપ્તા, પ્રદીપ રાણા, અંકુર કુમાર અને આકાશ એહલાવટ સામે ગેરકાયદે દરોડા પાડવા સાથે સંકળાયેલા ભ્રષ્ટાચાર કેસનો દાખલ કરવામાં આવ્યા પછી તેમને કસ્ટડીમાં લઇ જવામાં આવ્યા હતાં.ચંડીગઢ સ્થિત ઉદ્યોગપતિએ ૧૦ મેના રોજ સીબીઆઇ કાર્યાલયનો સંપર્ક સાધી ફરિયાદ કરી હતી કે સીબીઆઇ અધિકારીઓ સહિતના છ લોકા તેમની ઓફિસમાં ઘૂસી ગયા હતાં અને આતંકવાદીઓને નાણા આપવા બદલ ધરપકડ કરવાની ધમકી આપી હતી.તેમણે બિઝનેસમેન પાસેથી રૃ. ૨૫ લાખ રૃપિયાની માંગણી કરી હતી.

સીબીઆઇના પ્રવક્તા આર સી જોશીના જણાવ્યા અનુસાર સીબીઆઇએ પોતાના આરોપી અધિકારીઓના ઘરોમાં દરોડા પાડયા હતાં અને આ દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતાં.જોશીએ જણાવ્યું હતું કે સીબીઆઇએ ભ્રષ્ટાચાર અંગે ઝીરો ટોલેરન્સ નીતિ અપનાવી છે.એ આ નીતિ હેઠળ તે પોતાના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરતા ખચકાતી નથી.

PM મોદી- કેન્દ્ર સરકાર – RBI કરોડો ભૂખ્યા કામદારો-શ્રમિકો-પીડીતોને રાહત આપવામાં નિષ્ફળ
કમૂરતા બેસે તે પહેલાં નવી સરકાર શપથ ગ્રહણ કરશે, આ તારીખે શપથવિધિની શક્યતા; ભાજપની તૈયારીઓ શરૂ
ગાઝિયાબાદમાં ધર્માંતરણ રેકેટ ચલાવતી ગેંગ ઝડપાઇ : સૈફી,અબ્દુલ્લા સહીત મૌલવીની ધરપકડ
ઈન્ટેલ જિયો પ્લેટફોર્મમાં 1894.50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે
રાજસ્થાનમાં હવે વીજળીના બીલમાં ‘કોરોના’ જેવો ઝટકો લાગશે : હવે રીડીંગ પ્રમાણે બીલો ૪ લાખ લોકોને અપાશે
Share This Article
Facebook Email Print
Previous Article દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે રાજીવકુમારની નિમણૂક
Next Article પાયલટ બેભાન થતાં પ્રવાસીએ માંડ-માંડ લેન્ડિંગ કરાવી લોકોનો જીવ બચાવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up