વિદર્ભમાં વાઘના હુમલામાં બે ગ્રામવાસીના મોત

264

મુંબઇ : વિદર્ભના ચંદ્રપુરના જંગલમાં તેંદુપત્તા વિણવા ગયેલી મહિલા અને ગઢચિરોલીમાં ખેતરમાં પાણી પાવા ગયેલા ખેડૂતે વાઘના હુમલામાં જીવ ગુમાવ્યોહતો.તાડોબા ટાઇગર પ્રોજેક્ટના બફર ઝોનમાં કેટલીક મહિલાઓ તેંદુપત્તા વિણવા ગઇ હતી ત્યારે વાધે હુમલો કરતી જાઇ માધવ જેગઠે નામની મહિલાનું મોત થયું હતું.આ જંગલ વિસ્તારમાં વહેલી સવારે અને મોડી સાંજે તેંદુપત્તા વિણવાન જવાની તાકીદ કરવામાં આવી છે છતાં ગ્રામજનો જતા હોય છે.એ ક્ષેત્રમાં એલર્ટ જાહેર કરીને વનરક્ષકોએ પેટ્રોલિંગ વધાર્યું છે.

બીજી ઘટનામાં ગઢચિરોલી જિલ્લાના આરમોરી ગામ નજીક નંદુ મેશ્રાવ નામનો ખેડૂત ખેતરમાં પાણી પાતો હતો એ જ વખતે વિકરાળ વાઘ ત્રાટક્યો હતો અને ખેડૂતને મોતને ઘાટ ઉતાર્યો હતો.શનિવારની પૂર્વ સંધ્યાએ આ જ વિસ્તારમાં વાઘે હુમલો કરતા મહિલાનું મોત થયુંહતું.આમ શુક્ર-શનિ દરમ્યાન વાઘે બે ગ્રામજનનો ભોગ લેતા દહેશત વ્યાપી છ.ચંદ્રપુર જિલ્લાના જંગલોમાં છેલ્લા પાંચ મહિનામાં ૧૪ જણ વાઘ-દીપડાના હુમલામાં માર્યા ગયા હતા.આમાં ૯નો ભોગ વાઘે અને પાંચનો ભોગ દીપડાએ લીધો હતો.

Share Now