બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં જોળવા ખાતે રહેતા મહારાષ્ટ્રયન પરિવારની સગી નણંદ ભાભી નણંદની દીકરી બાબતે બાખડયા હતા.જેમાં 6 સભ્યો વચ્ચે મારમારી થતા વાત પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અંતે બને પરિવાર એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ઘટના અંગે પલસાણા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના અને હાલ પલસાણા તાલુકાના જોળવા ગામે આરાધના રેસિડેન્સીના મકાન નંબર 246 માં રહેતા માધુરીબેન જિતેન્દ્રભાઈ પાટીલ(25)નાઓ ઘરકામ કરી પોતાના પતિ અને 4 માસની દીકરી સાથે રહે છે મંગળવારના રોજ સાંજના સમયે માધુરીબેન સોસાયટીમાં જ રહેતી તેનની મમ્મી અલકાબેન ને ત્યાં ગઈ હતી.જ્યાં તેમની સામે જ મકાન નંબર 126 માં માધુરી બેનની નંણદ સુરેખાબેન શરદભાઈ પાટીલ(35)રહે છે.
જેમની દીકરી બાબતે નંણદને છોકરી અંગે કહેવા જતા નંણદ સુરેખા તેમજ તેની દીકરી રોશની અને ભીમનાથ નામનો ઇસમે માધુરીને ધિકમુકકાનો માર માર્યો હતો.તો માધુરીએ પણ સુરેખા બેન તેમજ રીશનીને માર માર્યો હતો જે દરમિયાન માધુરીએ પતિ જિતેન્દ્રને ફોન કરતા તે દોડી આવી તમામને છોડાવ્યા હતાં.ઘટના અંગે ગંગાધરા પોલીસ ચોકીમાં ફરિયાદ કરતી વખતે માધુરીબેને જાતે ડોલમાં રહેલું કોઈ જ્વલનશીલ પ્રદાર્થ પોતાના શરીરે છાંટી લીધું હતુ.ત્યાં હાજર પોલીસ કર્મીઓ તેમજ મહિલા પોલીસે વચ્ચે પડી માધુરી બેનને બચાવ્યા હતા પલસાણા પોલીસ મથકમાં માધુરીબેને નંણદ સુરેખા તેંમજ તેમની દીકરી રોશની પાટીલ તેમજ ભીમનાથ રોહિદાસ પાટીલ વિરુદ્ધ ફરિયાદ આપી હતી તો નંણદ સુરેખા પાટીલે પણ પલસાણા પોલીસ મથકમાં ભાભી માધુરી જીતેન્દ્ર પાટીલ વિરુદ્ધ તમેજ તેમના પતિ જીતેન્દ્ર અને સાસુ અલકા વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી અને દીકરીને બદનામ કરવા બાબતે ફરિયાદ નોંધાવી હતી.ઘટના અંગે પલસાણા પોલીસ મથકના મેરુભાઈ રમેશભાઈ કરી રહ્યા હોવાનું જણાય આવ્યું હતુ.


