નવી દિલ્હી : ભાજપના બે નેતાઓએ પયગમ્બર મોહમ્મદ સાહેબ પર વિવાદિત ટિપ્પણી કરી,ત્યારબાદ વિપક્ષો દ્વારા સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે.આ મામલામાં હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન તાક્યું છે.રાહુલ ગાંધીએ કહ્યું કે,ભાજપની કટ્ટરતા દેશને અંદરથી કમજોર કરી રહી છે.કોંગ્રેસ નેતાએ ટ્વીટ કરીને કહ્યું કે,‘આંતરિક રીતે વિભાજન થવાથી ભારત બહારની રીતે કમજોર થઈ જાય છે.ભાજપની શરમજનક કટ્ટરતાએ ફક્ત આપણને અલગ નથી કર્યા,પરંતુ વિશ્વ સ્તર પર ભારતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી છે.’
આ સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાને લઈને સોમવારે સરકાર પર નિશાન તાક્યું અને આરોપ લગાવ્યો કે દેશમાં આર્થિક મંદી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે,પરંતુ ‘નીતિગત દેવાળીયાની શિકાર’આ સરકારની પાસે કોઈ જવાબ નથી.આ સાથે રાહુલ ગાંધીએ દાવો કર્યો કે,દેશમાં આજે પ્રતિ વ્યક્તિની આવક બે વર્ષ પહેલાની સરખામણીએ ઓછી થઈ ગઈ છે,આ મુજબ બે વર્ષ પહેલા પ્રતિ વ્યક્તિ આવક 94270 રૂપિયા હતી,જે ઘટીને આવક પ્રતિ વ્યક્તિ 91481 રૂપિયા થઈ ગઈ છે.કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્ટમાં કહ્યું કે,ભારતીય પરિવારો મોંઘવારી અને નોકરીઓ ગુમાવવાનો માર સહન કરી રહ્યા છે.

