અમદાવાદ : શુક્રવાર : ગુજરાત ચેમ્બરની કારોબારીના ૨૪ સભ્યો માટે યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાના આજના અંતિમ દિને ગુજરાત સ્ટેટ કોઓપરેટી બૅન્કના ચેરમેન અજય પટેલે સિનિયર વાઈસ પ્રેસિડન્ટપદ માટે ઉમેદવારી નોંધાવતા અને અને અન્ય સંભવિત ઉમેદવારોએ તેમની સિનિયોરીટીને ધ્યાનમા ંલઈને ફોર્મ ન ભરવાનું પસંદ કરતાં તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.અલબત્ત આ ફોર્મ ભરવાનો સમય બપોરે ૪ વાગ્યાનો હતો,પરંતુ બપોરના ત્રણ વાગ્યા ટોચના હોદ્દા માટે કોઈના ફોર્મ ભરાયા નહોતા.બપોરે ત્રણ વાગ્યાના અરસામાં અજય પટેલનું ફોર્મ ભરાતા આ હોદ્દા માટે લડવા તૈયાર થયેલા ભાર્ગવ ઠક્કર અન્ય ઉમેદવારોએ ફોર્મ ન ભરવાનું પસંદ કર્યું હતું. આ અન્ય ઉમેદવારોમાં ભાર્ગવ ઠક્કર અને મિહિર પટેલનો સમાવેશ થાય છે.બીજીતરફ જુનિયર વાઈસ પ્રેસિડન્ટપદના ઉમેદવાર તરીકે યોગેશ પરીખ સામે પણ અન્ય કોઈ જ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યું નહોતું.
જોકે છેલ્લા બે ત્રણ દિવસથી અજય પટેલ ચૂંટણી લડવાના છે તેવી વાતો વહેતી થઈ હતી,પરંતુ અજય પટેલે છેલ્લી ઘડી સુધી ફોર્મ પણ ન લીધું હોવાથી તેઓ ચૂંટણી લડશે કે કેમ તે અંગે નિશ્ચિતતા જણાતી નહોતી.સહુને સાથે લઈને આગળ વધવાની માનસિકતા ધરાવતા અજય પટેલે આ ગાળા દરમિયાન સિનિયર વાઈસ પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણી લડવા ઇચ્છુકો સાથે તેમની વાતચીત પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ વાતચીત દરમિયાન સર્વસમંતિ સધાતા અન્ય ઉમેદવારોએ ફોર્મ ભર્યા જ નહોતા.તેમના નામ પર સર્વસમંતિ સધાઈ તે પછી જ તેમણે ઉમેદવારીપત્રક ભર્યું હતું.અજય પટેલ ચૂંટાતા ગુજરાત સરકાર સમક્ષ વેપાર ઉદ્યોગની સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં વધુ સરળતા થશેએમ પણ માનવામાં આવી રહ્યું છે.જુનિયર વાઈસ પ્રેસિડન્ટના હોદ્દા પર યોગેશ પરીખ બિનહરીફ થયા હતા.
જોકે ચેમ્બરની જુદી જુદી કેટેગરીની બાકીની બેઠકો માટે હવે ચૂંટણી થવાની સંભાવના બહુ જ ઓછી છે.કોર્પોરેટ કેટેગરીમાં ત્રણ બેઠકો માટે શૈશવ શાહ,કૌશલ સોપારકર,ધુવિલ પટેલ અને દિપક કુમાર જીય જયસ્વાલ લડી રહ્યા છે.તેમાંથી એકને સમજાવીને બેસાડી દેવામાં આવશે.બહુધા દિપક જયસ્વાલને સમજાવી લેવાય તેવી સંભાવના છે.બિઝેનેસ એસોસિયેશન-સ્થાનિકની બે બેઠકો માટે પાંચ ફોર્મ ભરાયા છે.તેમા અજય પટેલ,મેઘરાજ ડોડવાણી,અશોક પી.પટેલ,અશ્વિનકુમારએસ.પટેલ અને ગૌરાંગ ભગતનો સમાવેશ થાય છે.આ બે બેઠકો પર અજય ડી.પટેલ અને ગૌરાંગ ભગત પર પસંદગીનો કળશ ઢોળાવાની શક્યતા છે.અશોક પટેલનું કહેવું છે કે ઉત્સાહથી કામ કરતાં હોય તેમની પસંદગી કરવામાં આવે તેવી અપેક્ષા છે.બિઝનેસ એસોસિયેશન બહારગામની એક બેઠક માટે લાખાભાઈ કેશવાલા,અમૃત એચ.પટેલ અને નારગિંગ એ.અગ્રવાલનો સમાવેશ થાય છે.આ કેટેગરીમાં પણ ચૂંટણી ન થાય તેવી શક્યતા છે.
જનરલ કેટેગરી લોકલમાં આઠ બેઠકો પર ૧૨ જણે ઉમેદવારી નોંધાવી છે.તેમાં સમીર શેઠ,ચેતન ડી.શાહ,ભુપેન્દ્ર સી.પટેલ,વિરંચી એ.શાહ,અશોક સી.પટેલ,અંકિત એસ.પટેલ,મદનલાલ પી.જયસ્વાલ,ધુ્રવ પી.શાહ,અનિલ એમ.જૈન,સમીર જે.શાહ,મનીષ ડી.શાહ તથા આશિષ એસ. ગુરૃનો સમાવેશ થાય છે.તેમ જ જનરલ કેટેગરી બહારગામની ચાર બેઠક માટે પ્રફુલ તલસાણીયા,લીલાધર આચાર્ય,મહેશ એચ. પુજ,મિતુલ શાહ,નારસિંહ અગ્રવાલ,જિતેન્દ્ર એચ.લાલનો સમાવેશ થાય છે.


