By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કન્નડ અભિનેત્રી સ્વાતિ સુરેશની સર્જરીમાં છબરડો થતાં સમગ્ર ચહેરો કુરુપ બની ગયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કન્નડ અભિનેત્રી સ્વાતિ સુરેશની સર્જરીમાં છબરડો થતાં સમગ્ર ચહેરો કુરુપ બની ગયો
GeneralMumbai

કન્નડ અભિનેત્રી સ્વાતિ સુરેશની સર્જરીમાં છબરડો થતાં સમગ્ર ચહેરો કુરુપ બની ગયો

HM News
Last updated: 21/06/2022 6:57 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઇ : કર્ણાટકમાં હજુ થોડા સમય પહેલાં જ મુન્નાભાઈ એમબીબીએસ છાપ ડોક્ટરે પ્લાસ્ટિક સર્જરીમાં છબરડા વાળતાં કન્નડ અભિનેત્રી ચેતના રાજનું મોત નીપજ્યું હતું.હવે બીજી કન્નડ અભિનેત્રી આવી તબીબી છબરડાનો શિકાર બની છે.અભિનેેત્રી સ્વાતિ સતીશને રુટ કેનાલ ટ્રીટમેન્ટમાં એનેસ્થેશિયાને બદલે સાલિસિલિક એસિડ આપી દેવાતાં તેનો સમગ્ર ચહેરો સોજાથી ફૂલી જઈને કુરુપ બની ગયો છે.

રુટ કેનાલ ટ્રીટમેન્ટ બહુ જ સામાન્ય ગણાય છે અને તેમાં ખાસ કોઈ જોખમ હોતું નથી.પરંતુ,બેંગ્લુરુની ઓરિક્સ ડેન્ટલ હોસ્પિટલમાં આ ટ્રીટમેન્ટ કરાવવા ગયેલી સ્વાતિને સપનેય ખ્યાલ ન હતો કે આ સર્જરી બાદ કદાચ તેની ફિલ્મ કેરિયર પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકાઈ જાય તેવી હાલત સર્જાશે.સ્વાતીનો પૂરો ચહેરો કુરૃપ થઇ ગયો છે.હવે તેણે ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું છે.સ્વાતિના ઓરિજિનલ ફેસ અને આ સર્જરી પછીના તેના ફેસના ફોટા વાયરલ થતાં ચાહકોએ ભારે આંચકો અનુભવ્યો હતો.

સ્વાતિને એનેસ્થેસિયા આપવામાં ભૂલ થયા બાદ સોજો આવી જતાં ડોક્ટરે એવો બચાવ કર્યો હતો કે આ બહુ સામાન્ય બાબત છે.બે-ત્રણ દિવસમાં આ સોજો ઉતરી જશે.પરંતુ સર્જરીના ત્રણ અઠવાડિયા પછી પણ ચહેરા પરનો સોજો ઊતર્યો નથી,અને હાલતમાં કોઇ ફરક પડયો નથી.સ્વાતિના ચહેરા પરનો સોજો ઓછો થયો નથી તેમજ દુખાવો પણ યથાવત છે.તે બીજી હોસ્પિટલમાં સેકન્ડ ઓપિનિયન માટે ગઈ હતી ત્યારે તેને આગળના ડોક્ટરે ગફલત કરી હોવાની જાણ થી હતી.સ્વાતિએ ડોકટર પર આરોપ કર્યો છે કે,તેને ટ્રીટમેન્ટ અને દવા વિશે ખોટી અને અડધી-અધૂરી જાણકારી આપવામાં આવી હતી.

હજુ થોડા સમય પહેલાં જ કન્નડ અભિનેત્રી ચેતના રાજનું લેભાગુ ડોક્ટર દ્વારા સર્જરીને કારણે મોત નીપડયું હતું.ચેતના ચરબી ઘટાડવાની સર્જરી માટે હોસ્પિટલમાં ગઈ હતી પરંતુ તે હોસ્પિટલ વાસ્તવમાં આ પ્રકારની સર્જરી માટે માન્યતા ધરાવતી જ ન હતી.હોસ્પિટલ સામે પોલીસ કેસ પણ થયો હતો અને કર્ણાટક સરકારના આરોગ્ય વિભાગે પણ પોતાની રીતે તપાસ હાથ ધરી હતી.

રાજસ્થાનના CM અશોક ગેહલોતના ભાઈ અગ્રસેનના ત્યાં CBIનો દરોડો
સ્વીડન : મુસ્લિમ યુવકે મંજૂરી મળી હોવા છતા તોરાત અને બાઈબલને સળગાવ્યા નહીં, આપ્યો આવો સંદેશ
બ્રિટનના નાણા મંત્રી તેમની પત્નીના રશિયા સાથે સંબંધ હોવા પર ઘેરાયા
દેશના ૭૨ ટકા નાના ઉદ્યોગો છટણી કરવાની તૈયારીમાં
રાજ કુન્દ્રા અરેસ્ટેડ : આ રીતે ચાલતો હતો Soft Pornography નો સમગ્ર ખેલ, જાણો રાજ કુન્દ્રા અને ડર્ટી એપની ઇનસાઇડ સ્ટોરી
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્રમાં અસ્થિર પાયા પર જ રચાઈ હતી સરકાર, રાજ્યસભા-વિધાન પરિષદની ચૂંટણીના બે ઉપરાછાપરી મરણતોલ ફટકા વાગ્યા
Next Article વિધાનપરિષદમાં પણ નવાબ મલિક, અનિલ દેશમુખ મતદાનથી વંચિતં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up