By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’ના માધ્યમથી બળવાખોરો અને BJP ઉપર નિશાન તાક્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’ના માધ્યમથી બળવાખોરો અને BJP ઉપર નિશાન તાક્યું
GeneralMumbai

શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’ના માધ્યમથી બળવાખોરો અને BJP ઉપર નિશાન તાક્યું

HM News
Last updated: 23/06/2022 7:27 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : તા.23 જૂન 2022,ગુરૂવાર : મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ પોતાના મુખપત્ર’સામના’ના માધ્યમથી બળવાખોરો અને બીજેપીને આડેહાથ લીધા છે.’સામના’માં બીજેપી અને બળવાખોરોને ટાર્ગેટ કરીને લખવામાં આવ્યું છે કે,રાજનીતિમાં બધું જ અસ્થિર હોય છે અને બહુમત તેનાથી પણ વધારે ચંચળ હોય છે.આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે શિવસેનાની ટિકિટ અને પૈસા ઉપર ચૂંટાયેલા ધારાસભ્યો બીજેપીની માયાજાળમાં ફસાઈ ગયા છે.

શિવસેનાના મુખપત્રમાં બળવાખોરોને સમયસર સમજદારી દર્શાવવાનું કહેવામાં આવ્યુ છે.બળવાખોરોને સવાલ કરવામાં આવ્યો છે કે શું તે ધારાસભ્યો હવે શિવસેના સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે? એકનાથ શિંદે અને તેમના સાથે જોડાયેલા ધારાસભ્યોએ પહેલા મુંબઈ આવવું પડશે.વિશ્વાસમત વખતે મહારાષ્ટ્રની જનતાની આંખોમાં જોઈને વિધાનસભાની સીડી ચઢવી પડે છે.’સામના’માં આગળ લખવામાં આવ્યું છે કે,આ બધા ધારાસભ્યો જો એક વખત ફરીથી ચૂંટણીમાં ઉભા રહે તો જનતા તેમને હરાવશે.

‘સામના’માં ભાજપને જવાબદાર ઠેરવતા લખવામાં આવ્યું છે કે,ભાજપ કહે છે કે તેને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ આ માત્ર મજાક લાગે છે કારણકે,સુરતની હોટેલમાં ભાજપના લોકો હાજર હતા. ત્યાર બાદ ગુવાહાટી એરપોર્ટ ખાતે આસામના મંત્રીએ બળવાખોરોનું સ્વાગત કર્યું હતું.શિવસેનાના મુખપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે,વિધાન સભામાં જે થવાનું હશે તે થશે પરંતુ મુખ્યમંત્રી તરીકે ઉદ્વવ ઠાકરેની લોકપ્રિયતા ચરમસીમાએ છે.શિવસેનાનું સંગઠન મજબૂત છે.

‘સામના’માં ધારાસભ્યો ઉપર ટિપ્પણી કરતા લખવામાં આવ્યું છે કે,’આ ધારાસભ્યોને એ વાતનું ભાન નહીં હોય કે જો તેઓ ફરીથી એકવાર ચૂંટણી લડશે તો જનતા તેમને હરાવ્યા વગર નહીં રહે.આજે બીજેપીના જે લોકો તેમને હથેળી ઉપરના ઘા (ઈજા)ની માફક સાચવી રહ્યા છે તે ગરજ પૂરી થતાની સાથે કચરામાં ફેંકી દેશે.’

ડ્રૅગનની જાસૂસીથી અમેરિકા-યુરોપ પરેશાન, ભારત માટે વૉર્નિંગ બેલ
લાહોરના ઐતિહાસિક ગુરુદ્વારાને મસ્જિદમાં ફેરવવાની કોશિશ, ઉકળી ઉઠ્યા કેપ્ટન અમરિન્દર
સ્વિત્ઝર્લેન્ડને ૩-૦થી હરાવીને ઈટાલીનો યુરો કપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ
મોતનો આંકડો વધતા આ શહેરના કબ્રસ્તાનમાં એડવાન્સમાં કબરો ખોદવામાં આવી
મફત શિક્ષણના નામે ગરીબ બાળકોનું ધર્માંતરણ : કેરળના પાદરી વિરુદ્ધ કેસ દાખલ
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્રના ધારાસભ્ય લઈ જતી બસને મધ્યરાત્રીએ અટકાવવાનો કોંગ્રેસનો પ્રયાસ
Next Article શિવસેનામાં બળવોઃ ઉદ્ધવ ઠાકરેનું નામ ખરડાયું, દેવેન્દ્ર ફડણવીસનું કદ વધ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up