By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં કોરોના વાયરસનાં કહેર હવે ગંભીર હદે : મૃતાંક ત્રણ : વધુ પાંચ પોઝિટિવ કેસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં કોરોના વાયરસનાં કહેર હવે ગંભીર હદે : મૃતાંક ત્રણ : વધુ પાંચ પોઝિટિવ કેસ
AhmedabadGeneralGujarat Now

ગુજરાતમાં કોરોના વાયરસનાં કહેર હવે ગંભીર હદે : મૃતાંક ત્રણ : વધુ પાંચ પોઝિટિવ કેસ

HM News
Last updated: 26/03/2020 3:40 PM
HM News
5 years ago
Share
SHARE

-ગુજરાતમાં વધતો કોરોનાનો કહેર : કુલ ૪૪ કેસો સામે આવ્યા : અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં વધુ એક-એક પોઝિટિવ કેસ નોંધાયા

-રાજકોટમાં ૧૩માંથી ૧૨ લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા

અમદાવાદ, તા.૨૬ : કોરોના વાયરસનો આતંક ગુજરાતની સાથે સાથે દેશમાં પણ અકબંધ રહ્યો છે.ગુજરાતમાં પણ કેસોની સંખ્યા અને મોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે.તંત્ર દ્વારા કોરોનાને રોકવા માટે તમામ પ્રયાસો કરાઈ રહ્યા હોવા છતાં નવા નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે.નવા વિસ્તારો પણ કોરોનાના સકંજામાં આવી રહ્યા છે.આના ભાગરુપે આજે ભાવનગર પણ કોરોનાના સકંજામાં આવતા એક કેસ નોંધાયો હતો અને એકનું મોત પણ થયું હતું.ગુજરાતમાં કોરોના વાયરસનાં કહેર હવે ગંભીર હદે વધતો જાય છે.છેલ્લા ૨૪ કલાકમાં નવા પાંચ કેસો સામે આવ્યા છે,જેમાં અમદાવાદ, વડોદરા રાજકોટ અને ભાવનગરમાં વધુ એક-એક કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે.આ સાથે રાજયમાં કોરોના પોઝિટિવના કુલ કેસો ૪૪ થયા છે.બીજીબાજુ, સુરત બાદ હવે અમદાવાદ અને ભાવનગરમાં કોરોના વાયરસના કારણે એક-એક વ્યકિતના મોત નોંધાતાં સમગ્ર રાજયમાં ભારે ચકચાર મચી ગઇ છે.આ સાથે ગુજરાતમાં કોરોના વાયરસના કારણે કુલ ત્રણના મોત નોંધાયા છે.કોરાનાના કારણે એક પછી એક પોઝિટિવ કેસોની સંખ્યા વધતાં અને હવે મૃત્યુઆંક પણ વધવાની શરૂઆત થતાં સરકાર અને તંત્ર દોડતુ થઇ ગયુ છે.રાજકોટમાં ૧૩ જણાંના કોરોના શંકાસ્પદ કેસ જણાંતા તેમના સેમ્પલ લેબમાં મોકલાયા હતા,જેમાંથી ૧૨ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા,જયારે એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં રાજકોટમાં કુલ પાંચ કોરોના પોઝિટિવ કેસ થયા હતા.રાજયમાં કુલ નોંધાયેલા કોરાના પોઝિટિવના ૪૪ કેસોમાં સૌથી વધુ અમદાવાદમાં ૧૫ કેસ નોંધાયા છે.ભાવનગરના એકમાત્ર કોરોના પોઝિટિવ કેસના દર્દી એવા કરચરિયા પરાના ૭૦ વર્ષીય વૃધ્ધનું મોત નોંધાતા કોરોનાના કહેરને લઇ રાજયભરમાં હવે જાણે કે,સન્નાટો છવાઇ ગયો છે.આ દર્દી છેલ્લા ૧૪ દિવસથી સર ટી હોસ્પિટલમાં કવોરન્ટાઇન હેઠળ સારવારમાં હતા અને તેઓ દિલ્હીથી પ્રવાસ કરી ભાવનગર આવ્યા હતા.બીજીબાજુ, અમદાવાદ ખાતે જે ૮૫ વર્ષીય વૃધ્ધાનું જે મૃત્યુ નોંધાયુ તે સાઉદી એરેબિયાની ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવે છે.તેમને માનસિક બિમારીના લક્ષણો પણ જણાયા હતા.રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે,કોરોના વાયરસના કેસો અને તેને સંબંધિત માહિતી માટે વેબસાઇટ પર માહિતી મૂકવામાં આવી રહી છે.તેના અપડેટની વિગતો ગુજકોવીડ૧૯.ગુજરાત.ગવ.ઇન ડેશબોર્ડ કાર્યરત કરી મૂકવામાં આવી રહી છે,જેની પર દિવસમાં બે વખત કોરોના અંગેની માહિતી અપડેટ કરી મૂકવામાં આવશે.તેમણે ઉમેર્યું કે, રાજયમાં ૨૧૧ કવોરન્ટાઇનની ફેસીલિટી ઉભી કરાઇ છે,જેમાં કુલ ૧૨૦૫૯ બેડની વ્યવસ્થા છે. હાલ ૨૧ હજારથી વધુ લોકોને હોમ કવોરન્ટાઇન અને ૧૫૦ જેટલા લોકોને પ્રાઇવેટ ફેસીલિટીમાં કવોરન્ટાઇન ઓર્બ્ઝર્વેશન હેઠળ રાખવામાં આળ્યા છે.તો રાજયભરમાં કવોરન્ટાઇન ભંગની અત્યારસુધીમાં ૨૫૦થી વધુ ફરિયાદ નોંધાઇ છે.લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ ગુજરાતમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં પાંચ નવા કેસ નોંધાયા છે.આ નવા કેસમાં જોઈએ અમદાવાદમાં ૧૫, સુરતમાં ૭, રાજકોટમાં ૫, વડોદરામાં ૮ અને ગાંધીનગરમાં ૭ તથા કચ્છ અને ભાવનગરમાં ૧-૧ કેસ સામે આવ્યો છે.આમ કુલ મળી ગુજરાતમાં ૪૩ કેસ નોંધાયા છે.આમ, અમદાવાદ, વડોદરા અને ભાવનગરમાં એક-એક નવા કોરોના પોઝિટિવના કેસો ઉમેરાયા છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થવાને લઇને તંત્ર દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.સાથે સાથે સાવચેતીના તમામ પગલા પણ યુદ્ધના ધોરણે લેવાઈ રહ્યા છે.

ગુજરાતમાં કોરોના કેસો ગુજરાતમાં કોરોનાના ક્યાં કેટલા કેસ નોંધાયા તે નીચે મુજબ છે.

શહેર કેસ અમદાવાદ ૧૫ વડોદરા ૦૮ સુરત ૦૭ રાજકોટ ૦૫ ગાંધીનગર ૦૭ કચ્છ ૦૧ ભાવનગર ૦૧ ગુજરાતમાં કુલ કેસ ૪૪

સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય લેવાયો, અમદાવાદમાં સેલરમાંથી પાણી નિકાલ માટે સોસાયટીએ હવે વ્યવસ્થા કરવી પડશે
વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્રની વ્હારે સુરતવાસીઓ, 100 જનરેટર મોકલ્યા, અંધારપટ થયેલા ગામોમાં ઉજાસ ફેલાવશે
ONGC અને HPCLએ પેટ્રોનેટ MHBને રૂ 371 કરોડમાં ખરીદી
કંગના રાણાવતને સોશ્યલ મીડિયામાં રેપની ધમકી મળી.
વૃદ્ધ મુસલમાનને માર મારવાના વિડીયો પર વિવાદ, સ્વરા ભાસ્કર અને ટ્વિટર ઇન્ડિયાના MD વિરુદ્ધ ફરિયાદ
Share This Article
Facebook Email Print
Previous Article મહિન્દ્રા 7500 રૂપિયા સુધીના ફ્રૂગલ વેન્ટિલેટર બનાવશે
Next Article ગુજરાત હાઈકોર્ટ દ્વારા નીચેની કોર્ટોને બંધ કરાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up