અમદાવાદ : ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી,કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર આજે બે દિવસની ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવશે.મંત્રી અમદાવાદ,મહેસાણા, આણંદ અને વડોદરાની ચાર યુનિવર્સિટીની મુલાકાત લેશે અને તેમની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ-અપ્સ સાથે વાર્તાલાપ કરશે.રાજીવ ચંદ્રશેખર તેમના દિવસની શરૂઆત 27મી જૂને,નિરમા યુનિવર્સિટી,અમદાવાદની મુલાકાત સાથે કરશે અને યુનિવર્સિટીમાં નવા ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.તેમની સાથે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી,અને કુબેર ડીંડોર,નિરમા યુનિવર્સિટી,ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે.
આ પછી તે જ દિવસે મહેસાણામાં ગણપત યુનિવર્સિટી(ગુની),ખેરવાની મુલાકાત લેશે.મંત્રી યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરની મુલાકાત લેશે જ્યાં તેમને સ્ટાર્ટઅપ્સ દ્વારા પ્રોડક્ટ શો કેસનું નિદર્શન કરાવવામાં આવશે.તેઓ યુનિવર્સિટીમાં સેન્ટર ઑફ એક્સેલન્સ ફોર ટેલિકોમની પણ મુલાકાત લેશે.મંત્રી આણંદ જશે જ્યાં તેઓ ઉદ્યોગના અગ્રણીઓ,એકેડેમીયા અને સ્કીલ ઇકોસિસ્ટમના અન્ય લોકોને મળશે.બીજા દિવસે (28 જૂન 2022ના રોજ)તેઓ આણંદમાં ચરોતર વિદ્યા મંડળ યુનિવર્સિટી (CVM) અને ત્યારબાદ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી(MSU)ખાતે ભારતના ટેકેડ પર ટોક યોજશે.


