By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભૂગર્ભ જળનું સ્તર નીચું જતા હવે બોરીંગ કરવા માટે મંજુરી મેળવવી ફરજિયાત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ભૂગર્ભ જળનું સ્તર નીચું જતા હવે બોરીંગ કરવા માટે મંજુરી મેળવવી ફરજિયાત
GeneralSurat

ભૂગર્ભ જળનું સ્તર નીચું જતા હવે બોરીંગ કરવા માટે મંજુરી મેળવવી ફરજિયાત

HM News
Last updated: 01/07/2022 7:11 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : સુરત શહેર કે જિલ્લામાં રહેણાંક એપાર્ટમેન્ટ,ઇન્ડસ્ટ્રીઝો,માઇનીગં વિતરકો કે પછી સ્વીમીંગ પુલ બનાવનારાઓમાંથી જેઓ પણ બોર ખોદીને ભૂર્ગભ જળ લઇ રહ્યા છે.તે તમામે તમામે સેન્ટ્ર્લ ગ્રાઉન્ડ વોટર ઓથોરીટી(સીજીડબલ્યુએ)પાસે ફરજિયાત મંજુરી લેવાની રહેશે.ભુગર્ભમાંથી આડેધડ પાણી ખેંચવાની ચાલી રહેલી પ્રવૃતિ પર બ્રેક મારવા માટે આ પગલુ ભર્યુ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

સુરત શહેર સહિત જિલ્લામાં ખેતીની જમીનો ઘટતી જાય છે.અને તેના બદલે ઇન્ડસ્ટ્રીઝો વધતી જાય છે.આ ઇન્ડસ્ટ્રીઝો વધવાની સાથે પ્રદુષણનો પ્રશ્ન તો આવે જ છે,સાથે જ જમીનમાં બોર ખોદીને ભુર્ગભમાંથી પાણી ખેંચવાની જે પ્રવૃતિ ચાલે છે.તેના કારણે જળનું સ્તર પણ દિવસે દિવસે નીચુ થતુ જાય છે.આવી જ સ્થિતિ રહી તો ભવિષ્યમાં સુરત જિલ્લાની હાલત પણ સૌરાષ્ટ્ર જેવી થાય તો નવાઇ નહીં ? આ કારણે જ કેન્દ્રીય ભૂર્ગભ જળ ઓથોરીટી દ્વારા એક જાહેર નોટીસ ઇસ્યુ કરાઇ છે.

જેમાં જેઓ બોરના પાણીનો ઉપયોગ કરે છે.તેવા તમામે તમામે વપરાશ કરનારાઓ ભૂમિજળ કાઢવા માટે સીજીડબલ્યુએની મંજુરી લેવી પડશે.હયાત વપરાશ કારોએ ૩૦.૬.૨૨ સુધી રૃા.૧૦ હજારની ચૂકવણી કરી ૩૦ સપ્ટેમ્બર સુધીમાં સંર્પુણ અરજી ફોર્મ કચેરીમાં જમા કરાવવાનું રહેશે.સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે જો કોઇ એનઓસી વગર ભૂર્ગભ જળ ખેંચવાનું ચાલુ રાખશે તો વપરાશકર્તા સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.અને ખેંચેલ ભૂર્ગભ જળને બિનકાયદેસર ગણવામાં આવશે.આમ હવે પછી ભૂર્ગભ જળ માટે પણ મંજુરી લેવી પડશે.આ કરવા પાછળનું મુખ્ય કારણ ભૂર્ગભ જળનું સ્તર નીચેને નીચે જતુ રહેતા પાણીનો બેફામ થઇ રહેલા ઉપયોગ પર બ્રેક મારવા માટે મંજુરી લેવાનુ ફરજિયાત કરાયુ છે.

ટ્રમ્પના સમર્થકોનો સંસદભવન પર હલ્લોઃવોશિંગ્ટન-ડીસીમાં કર્ફ્યૂ
ભાજપમાં આંતરિક ડખ્ખો : રૂપાણી-સાંસદ વચ્ચે બોલચાલનો વિડીયો વાયરલ, ચાલુ પ્રવચને કાર્યકરો ઉભા થઈ ગયાં
ટ્રકની અંદરથી મળ્યાં ૪૬ મૃતદેહ, માનવ દાણચોરીની શંકા
હસ્તિનાપુરમાં મહાભારત સમયની સુરંગમાંથી કુશાણ કાળના સિક્કા મળ્યા : તપાસમાં જોડાઈ ASI
સરકારી મંજૂરી વગરની ‘બાબા-ગોળી’ ટકશે?
Share This Article
Facebook Email Print
Previous Article ગોથાણની અંજની ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટ્રીટ કર્યા વીના ખાડીમાં પાણી છોડાય છે
Next Article સુરતના વરાછા-એ,બી ઝોનમાં સવારે ચાર કલાકામાં 4 ઇંચ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up