By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાના કારણે વિશ્વનો આર્થિક મંદીમાં પ્રવેશ : IMF
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > કોરોનાના કારણે વિશ્વનો આર્થિક મંદીમાં પ્રવેશ : IMF
BusinessInternational

કોરોનાના કારણે વિશ્વનો આર્થિક મંદીમાં પ્રવેશ : IMF

HM News
Last updated: 28/03/2020 5:59 AM
HM News
5 years ago
Share
SHARE

૨૦૦૯ કરતા પણ ખરાબ પરિસ્થિતિ સર્જાશે : અર્થતંત્ર થંભી જતા સ્થિતિ ગંભીરઃ વિશ્વના ૮૦ જેટલા દેશોએ આઈએમએફ પાસે મદદ માગીઃ સંકટને પહોંચી વળવા ૨.૫ ટ્રીલીયન ડોલરની જરૂર છે : જો કોરોના કાબુમાં આવે તો ૨૦૨૧માં રીકવરી સંભવ

વોશિંગ્ટન, તા. ૨૮ :. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ એટલે કે આઈએમએફના પ્રમુખ ક્રિસ્ટલીનાએ જણાવ્યુ છે કે કોરોના સંકટના કારણે વિશ્વભરનું અર્થતંત્ર આર્થિક મંદીમાં પ્રવેશ કરી ચૂકયુ છે.તેમના જણાવ્યા પ્રમાણે આ સંકટમાંથી બહાર નીકળવા માટે વિશ્વભરની વિકસીત અર્થવ્યવસ્થાઓએ મોટી રકમ અને મદદ કરવી પડશે.તેમણે જણાવ્યુ છે અકિલા કે સારી વાત એ છે કે વિશ્વભરના ટોચના નેતાઓએ સ્વીકાર્યુ છે કે આ સંકટને નિપટવા માટે સંયુકત પ્રયાસ કરવા પડશે.તેમણે કહ્યુ છે કે તે સ્પષ્ટ છે કે આર્થિક મંદીમાં પ્રવેશ કરી ચૂકયા છે.વિશ્વભરનુ અર્થતંત્ર એકાએક થંભી ગયુ છે.ઉભરતા બજારોને આ સંકટમાંથી બહાર કાઢવા માટે ઓછામાં ઓછા ૨.૫ લાખ કરોડ ડોલરની મદદ કરવી પડશે.તેમના કહેવા મુજબ અત્યાર સુધીમાં ૮૦થી વધુ દેશ આ વૈશ્વિક સંસ્થા પાસે તાત્કાલીક મદદની માગણી કરી ચૂકયા છે.આ મંદીની અસર બે બાબત પર નિર્ભર કરશે.પ્રથમ એ છે કે કોરોનાનો માર કયાં સુધી અને કેટલો પડે છે ? બીજુ એ એક વિશ્વભરના ટોચના નેતાઓ તેને નીપટવા માટે કેવા સંયુકત પ્રયાસ કરે છે ? આઈએમએફના વડાએ કહ્યુ હતુ કે જો કોરોના વાયરસ પર કાબુ મેળવી લેવાય તો મંદીમાં રીકવરીની સંભાવના છે.આપણે ૨૦૨૧માં રીકવરીની આશા રાખી શકીએ.જો વાયરસ પર કાબુ મેળવી લેવાય અને તરલતાની સમસ્યા ન થવા દઈએ તો આ રીકવરી શાનદાર હશે.તેમણે એમ પણ કહ્યુ હતુ કે હાલ જે સંકટ છે તે ૨૦૦૯ કરતા પણ ખરાબ છે.તેમણે ઉમેર્યુ હતુ કે વિશ્વનુ અર્થતંત્ર થંભી જતા મોટી સમસ્યા નાદારી અને છટણીની લહેર છે.જે માત્ર વસુલાતને ઘટાડશે એટલુ જ નહિ આપણા સમાજના તાણાવાણાને નષ્ટ કરી શકે છે.

રાષ્ટ્રપતિનું ઘર ટૂરિસ્ટ-સ્પૉટ બન્યું, કરોડો રૂપિયા મળ્યા હોવાનો દાવો
ભારત સામે દોઢ અબજ મુસ્લિમો એક થાય : ઇમરાને ઝેર ઓક્યુ
ચારેકોરથી ભરાયું ચીન, હવે ઑસ્ટ્રેલિયાની ‘રણમેદાન’માં એન્ટ્રી- સેનાએ ગાળિયો કસવાનું કર્યું શરૂ
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદી દ્વારા ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!!
ભારતીય શેરબજારમાં ડેરિવેટિવ્ઝ વલણ પૂર્વે શોર્ટ કવરિંગ થકી ૫૬૦ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!!
Share This Article
Facebook Email Print
Previous Article દેશ મંદીના વિષચક્રમાં ફસાશે : કંપનીઓ દેવાળુ ફુંકશે
Next Article બારડોલી શુગર ફેક્ટરીના ટ્રક ડ્રાઇવરો વિફર્યા : ટોળાએ પોલીસ પર હુમલો કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up