ઝારખંડના ગોડ્ડાથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ નિશિકાંત દુબેએ સોમવારે ફરી એક વખત લોકસભામાં દાવો કર્યો કે રાજ્યમાં ઝડપથી ઇસ્લામીકરણ થઈ રહ્યું છે.બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં મુસ્લિમ ઘૂસણખોરી કરી રહ્યા છે અને ઝારખંડમાં આવીને ભોળી આદિવાસી છોકરીઓ સાથે લગ્ન કરી લે છે.નિશિકાંત દુબેએ તેમના પર સાઇબર ક્રાઇમ અને ગાયોની તસ્કરી કરવાનો પણ આરોપ લગાવ્યો.તેમણે કહ્યું કે, હું સદનમાં 13-14 વર્ષથી ઝારખંડમાં ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતો રહ્યો છું.
બાંગ્લાદેશ સાથે જોડાયેલા હોવાના કારણે અમારે ત્યાં ઘૂસણખોરીની એક મોટી સમસ્યા છે. તેમનું હિન્દુ-મુસ્લિમો સાથે કોઈ લેવું-દેવું નથી કેમ કે તેઓ મુસ્લિમોનો પણ રોજગાર છીનવે છે.હિન્દુઓના તો છીનવે જ છે. અત્યારે ઇસ્લામીકરણ માટે નવો ટ્રેક શરૂ થયો છે. નિશિકાંત દુબેએ કહ્યું કે, ભોળી આદિવાસી છોકરીઓ સાથે લગ્ન કરીને બાંગ્લાદેશી મુસ્લિમ આખા ડેમોગ્રાફીને બદલવા પર ઉતરી આવ્યા છે.મારા પાડોશી જિલ્લા સાહિબગંજમાં પણ જે જિલ્લા પરિષદના અધ્યક્ષ બન્યા છે તે આદિવાસી કોટાથી છે કેમ કે સીટ અનામત હતી, પરંતુ તેમના લગ્ન મુસ્લિમ સાથે થયા છે.આ મેં એક ઉદાહરણ આપ્યું.
સાઇબર ક્રાઇમ અને ગાયોની તસ્કરીનો મુદ્દો ઉઠાવતા તેમણે એમ પણ કહ્યું કે ઇસ્લામીકરણનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.જામતાડા એક સીરિયલ બની, દેશના જેટલા સાઇબર ક્રાઇમ થાય છે એ બધા સાઇબર ક્રિમિનલ એ જ સંથાલ પરગણામાં છે. એ જ ગોડ્ડા,દેવઘર,જામતાડા,દેવઘર,સાહિબગંજમાં છે.જેટલી ગાયો છે.જો ગોડ્ડા,દેવઘરથી ચાલશો તો તમને લાખોની લાખો ગાયો દેખાશે.એ બધી બાંગ્લાદેશ જઈ રહી છે.બાલૂ અને ગિટ્ટી જઈ રહી છે.બધુ ગેરકાયદેસર છે.
સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે, ‘મેં બે દિવસ અગાઉ સંસદમાં ઇસ્લામીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો,જેને ઝારખંડ સરકારે માન્યું કે સારકરી શાળા ઉર્દૂ થઈ ગઈ છે.રવિવારના બદલે શુક્રવારે રજા હોય છે. આ 3-4 મુદ્દાના કારણ અશાંત થઈ ગયા છે.ક્ષેત્ર ઇસ્લામીકરણ તરફ વધી રહ્યું છે.મારો ભારત સરકારને આગ્રહ છે કે NPR લાગૂ કરવામાં આવે. NIAની ઓફિસ હોય. ઝારખંડ સરકાર અને કોંગ્રેસ મળીને તેમને મદદ કરી રહી છે એટલે કલમ 356 બેઠળ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે.