[weather_data]
Breaking News
TRENDING NEWS

ભાજપના નેતાઓ જ સમસમી ગયા : ટિકટોક સ્ટાર પૂજા ચવ્હાણ આત્મહત્યા કેસમાં સંડોવાયેલા સંજય રાઠોડને ફરી મંત્રી બનાવાતાં ભડકો

[updated_date] [post_views]

Table of Content

– ભાજપના જ ભારે વિરોધના કારણે ઉદ્ધવ મંત્રીમંડળમાંથી પડતા મુકાયા હતા
– ભાજપના જ ચિત્રા સિંઘે જાહેર વિરોધ કર્યો : સંજયને મહિલા બાળવિકાસ મંત્રી બનાવવા શિવસેનાનો ટોણોઃ પોલીસ ક્લિનચીટની દલીલ સાથે સીએમ શિંદેેનો બચાવ

મુંબઈ : મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારના વિસ્તરણમાં યવતમાલ જિલ્લાના દિગરસના ધારાસભ્ય સંજય રાઠોડને મંત્રી બનાવાતાં ભડકો થયો છે.હજુ ગયાં વર્ષે જ ૨૨ વર્ષની ટિકટોક સ્ટાર પૂજા ચવ્હાણની આત્મહત્યાના કેસમાં સંજય રાઠોડની સંડોવણી બહાર આવતાં ભાજપે વિધાનસભાના ફ્લોર પર તથા જાહેર માર્ગો પર ભારે આંદોલન અને વિરોધ કરતાં ઉદ્ધવ ઠાકરે મંત્રીમંડળમાંથી સંજય રાઠોડની હકાલપટ્ટી કરવામાં આવી હતી.હવે એકનાથ શિંદેના જૂથમાંથી તેમનો ફરી મંત્રીમંડળમાં સમાવેશ કરાતાં ખુદ ભાજપના નેતાઓ જ સમસમી ગયા છે.બીજી તરફ વિપક્ષોને શિંદે સરકારને ઘેરવાનું એક કારણ મળી ગયું છે.દરમિયાન મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ સંજય રાઠોડના સમાવેશનો બચાવ કર્યો છે.

શિંદે મંત્રી મંડળમાં ૫૦ વર્ષીય સંજય રાઠોડનું નામ જોતાં જ ભાજપના કેટલાય નેતાઓ ચોંકી ઉઠયા હતા.ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ અને મહિલા નેતા ચિત્રા વાઘે તો સોશિયલ મીડિયા પર સંજય રાઠોડને ફરી મંત્રી બનાવવા માટે આકરી ઝાટકણી કાઢી હતી.ચિત્રાએ કહ્યું હતું કે સંજય રાઠોડને ફરી મંત્રી બનાવાય તે બહુ મોટી કમનસીબી છે.ભલે તે મંત્રી બન્યા પરંતુ તેમની સામે લડત ચાલુ રહેશે.શિવસેનાના ઉદ્ધવ જૂથના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તો ટોણો માર્યો હતો કે સંજય રાઠોડને મહિલા અને બાળવિકાસ ખાતું જ અપાવું જોઈએ.મનસેના પ્રવક્તા ગજાનન કાળેએ કહ્યું હતું કે એક સંજય રાઉતે ઉદ્ધવ સરકારને ડૂબાડી હતી હવે બીજા સંજય રાઠોડ શિંદે સરકારનું પણ પતન નોતરશેજોકે, મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ સંજય રાઠોડના મંત્રી તરીકે સમાવેશનો બચાવ કરતાં કહ્યું હતું કે જે તે સમયે પોલીસ તપાસમાં સંજય રાઠોડને ક્લિન ચીટ મળી ચુકી છે.આથી હવે તેમના સમાવેશ સામે કોઈ વાંધો ના હોવો જોઈએ.

સંજય રાઠોડ ઉદ્ધવ સરકારમાં વન પ્રધાન હતા.ગત ફેબુ્રઆરીમાં પૂજા ચવ્વાણના આત્મહત્યા કેસમાં તેમની સંડોવણી બહાર આવી તે પછી ભાજપના નેતાઓએ તેમની સામે ભારે વિરોધ કર્યો હતો.ભાજપના નેતાઓ દ્વારા રેલીઓ સહિતના કાર્યક્રમો અપાયા હતા.આજે હાલના નાયબ મુખ્યપ્રધાન તથા તે સમયના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તેમણે વિધાનસભાના ફ્લોર પર સંજય રાઠોડ સામે આકરી કાર્યવાહી બદલ મહા વિકાસ આઘાડી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી અને તેમને છાવરનારા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની માગણી કરી હતી.લોકોએ ફડણવીસનો એ વીડિયો આજે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

પૂજા અને સંજય રાઠોડની ઓડિયો ક્લિપ બહાર આવી હતી

બીડની યુવતી પૂજા ચવ્હાણ ઇંગ્લિશ સ્પિકિંગ કોર્સ કરવા માટે પુણે આવી હતી. અહીં તે ટિકટોક પર વીડિયો મુકી ટિકટોક સ્ટાર તરીકે જાણીતી બની હતી. ગયાં વર્ષની આઠમી ફેબુ્રઆરીએ પુજાએ પુણએના વાણાવાડી વિસ્તારમાં તે જે બિલ્ડીંગમાં રહેતી હતી તેના પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી.તેની આત્મહત્યાના થોડા દિવસો બાદ તત્કાલીન વન મંત્રી સંજય રાઠોડનું નામ આ કેસમાં બહાર આવ્યું હતું.સંજય રાઠોડ અને પૂજાની ઓડિયો ક્લિપ બહાર આવી હતી અને તેમાં સંજય રાઠોડનો જ અવાજ હોવાનું પોલીસે પણ કન્ફર્મ કર્યું હતું.

બીડમાં રાજકીય પ્રભુત્વની શિંદેની મજબૂરી

સંજય રાઠોડ ચાર ટર્મથી ધારાસભ્ય છે અને બીડના બંજારા સમુદાયના બહુ આક્રમક નેતા ગણાય છે. અગાઉ ઉદ્ધવની આઘાડી સરકાર ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસના વડપણ હેઠળની સરકારમાં પણ તેઓ મંત્રી રહી ચૂક્યા છે.એકનાથ શિંદેને અગાઉથી અંદાજ હતો જ કે સંજય રાઠોડના સમાવેશથી ભારે વિરોધ થઈ શકે છે.પરંતુ બીડમાં શિંદે પાસે સંજય રાઠોડનો કોઇ વિકલ્પ પણ નથી.સંજય રાઠોડ ઉદ્ધવ કેમ્પ છોડી બળવામાં શિંદે સાથે જોડાયા હતા તેને લીધે બીડ વિસ્તારમાં શિવસેના સાવ પાંગળી થઈ ગઈ હોવાનું મનાય છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles