નવી દિલ્હી, તા. 10 ઓગસ્ટ 2022 બુધવાર : આપણે ‘નાત’ કે ‘ભજન’ જે પણ ગાઈએ છીએ તો તેનાથી એવુ કંઈ નથી હોતુ કે ‘નાત’ જો કોઈ હિંદુ સાંભળી લે તો તે મુસલમાન થઈ જાય અથવા ભજન કોઈ મુસલમાન સાંભળી લે તો તે હિંદુ થઈ જાય છે. એવુ નથી કે મે ભજન ગાઈ લીધુ તો હુ હિંદુ થઈ ગઈ.આ કહેવુ છે કે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના રહેવાસી ફરમાની નાઝનુ જે સિંગર છે.
તાજેતરમાં જ તે ‘હર-હર શંભુ’ ભજન ગાઈને ચર્ચામાં છે. એવી ખબર છેકે તેમના વિરુદ્ધ ફતવો પણ જારી કરવામાં આવ્યો.જોકે, તે પોતે ફતવાની વાતથી ઈનકાર કરે છે.ફતવો તો બિલકુલ પણ નથી અને ના કોઈ મૌલાના કે ઉલેમાઓએ પણ કંઈ એવુ કહ્યુ કે આની પર ફતવો જારી કરો.જે ગામમાં હુ રહુ છુ તે સમગ્ર ગામ જ મુસ્લિમોનુ છે અને જો કોઈ ફરમાની નાઝ વિશે પૂછે છે તો તેઓ ગર્વથી કહે છે કે હા ફરમાની અમારા ગામની છે.જોકે તેઓ જાણે છે કે હુ ગીત સાથે ભજન પણ ગાવુ છુ.
ફરમાની નાઝ વિશે સોશિયલ મીડિયા પર એક એકાઉન્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે તે હિંદુ ધર્મ અપનાવવાના છે.આ વિશે તેઓ કહે છે મે જોયુ કે કોઈએ મારા નામની ફેક આઈડી બનાવીને એ ટ્વીટ કરી છે કે હુ હિંદુ ધર્મ અપનાવી રહી છુ અને મારા પૂર્વજ પણ હિંદુ હતા, આવુ કંઈ પણ નથી.આવા લોકો વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ અને આવા લોકો માટે કડક કાયદા હોવા જોઈએ.તેઓ વધુમાં કહે છે કે હુ ધર્મ કેમ બદલુ, તમામ ધર્મ સારા છે.હુ એક કલાકાર છુ,તમામને પોતાના ભજન અને ગીત સંભળાવે છે તેથી મને સાંભળનાર તમામ ધર્મના છે,એવુ નથી કે તે એટલા માટે સાંભળે છે કે હુ મુસલમાન છુ અને ભજન ગાવુ છુ.તેમને મારો અવાજ સારો લાગે છે તેથી સાંભળે છે.અમે ગરીબ લોકો છીએ.ગામમાંથી ઉઠીને અહીં સુધી આવે છે.
લગ્ન અને આર્થિક તંગી
તે જણાવે છેકે તેમના લગ્ન 2018 માં થયા, પરંતુ લગ્નના બે-ત્રણ મહિના બાદ જ પતિનુ અન્ય કોઈ મહિલા સાથે અફેર હતુ.તે લગ્નથી તેમને એક પુત્ર પણ છે જે અત્યારે 3 વર્ષનો છે.

