By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: BMC Election : મુંબઈના મતદાતા ભાજપને બહુમતથી જીતાડશે – અમિતભાઈ શાહ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > BMC Election : મુંબઈના મતદાતા ભાજપને બહુમતથી જીતાડશે – અમિતભાઈ શાહ
GeneralNationalPolitics

BMC Election : મુંબઈના મતદાતા ભાજપને બહુમતથી જીતાડશે – અમિતભાઈ શાહ

HM News
Last updated: 06/09/2022 8:16 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ, તા. 06 સપ્ટેમ્બર 2022 મંગળવાર : કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ મહારાષ્ટ્રના બે દિવસીય પ્રવાસે છે. અમિત શાહે આજે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ હુંકાર ભર્યો.મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને સત્તામાંથી બેદખલ કર્યા બાદ પહેલીવાર મુંબઈ પહોંચેલા અમિત શાહે કહ્યુ કે રાજ્યની ભાજપ-શિવસેના સરકારની અસલી પરીક્ષા ટૂંક સમયમાં આવવાની છે અને અમારુ લક્ષ્ય છે કે સીએમ એકનાથ શિંદે સરકાર બીએમસી ચૂંટણીમાં જીતનો પરચમ લહેરાવીને તે લોકોને ચૂપ કરી દે જેમણે ભાજપની સાથે દગો કરવાનો પ્રયત્ન કર્યો છે.

આ સાથે જ અમિત શાહે કહ્યુ કે બીએમસી ચૂંટણીમાં તે પાર્ટીને જીતશે જેને મુંબઈની જનતા પોતાના આશીર્વાદ આપશે અને ભાજપને વિશ્વાસ છે કે મુંબઈના મતદાતા તેમને બહુમતથી જીતાડશે અને બીએમસીને તે પાર્ટીમાંથી મુક્ત કરશે જે માત્ર દગા અને છેતરપિંડીની વાત કરે છે.પૂર્વ સીએમ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પાસેથી બીએમસી ચૂંટણીમાં મળનારી આકરી ટક્કરને ધ્યાનમાં રાખતા ગૃહમંત્રી અમિત શાહ અત્યારથી મુંબઈની ધરતી પર સક્રિય થઈ ગયા છે.ભાજપ-શિંદે જૂથને 150 બેઠક જીતવાનુ લક્ષ્ય સોંપતા અમિત શાહે કહ્યુ કે આ વખતે બીએમસી ચૂંટણીમાં પીએમ મોદીજીના માર્ગદર્શનમાં ભાજપ અને અસલી શિવસેના ગઠબંધન મતદાતાઓના આશીર્વાદ લેવાનુ છે અને 150 બેઠક પર જીત નોંધાવાની છે.તેમણે કહ્યુ કે બીએમસી ચૂંટણીમાં ભાજપનુ જીતવુ લગભગ નક્કી છે કેમકે મુંબઈની જનતા પીએમ મોદીજીના નેતૃત્વવાળી ભાજપ સાથે છે.તે હિંદુત્વની વિચારધારાને દગો આપનારી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીની સાથે ક્યારેય નહીં જાય.

અમિત શાહે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરેએ ના માત્ર ભાજપને દગો આપ્યો હતો પરંતુ હિંદુત્વની વિચારધારાને દગો આપવાનુ કામ કર્યુ છે અને ઠાકરેએ મહારાષ્ટ્રના જનાદેશનુ પણ અપમાન કર્યુ છે.

જાણો, યુધ્ધના 28 દિવસ છતાં રશિયા કીવને કેમ જીતી શકયું નથી ? યુક્રેન સૈનિકોની ગેરિલા ગેમથી રશિયા પરેશાન,
કાફેની આડમાં ધમધમતા કપલ બોક્સ પુનઃ વિવાદમાં : વેસુ વિસ્તારની કોલેજીયન યુવતીને કાફેમાં બોલાવી સહઅધ્યાયીએ દુષ્કર્મ કર્યુ
ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જીવનની પ્રેરણાદાયી અને ઐતિહાસિક ઘટનાઓ આધારીત પ્રદર્શનીનું ઉદ્દઘાટન
મ્યુનિ. ના સુપરવાઇઝરના લગ્ન તોડાવવા તેની પત્નોનીના ઇન્સ્ટા પર મેસેજ : તારી મમ્મીની ખુશી માટે હા કહ્યું હતું, બટ કેવીનને ત્રણ વર્ષથી લવ કરૂ છું
ચલથાણ થી 213 નંગ વિદેશી દારૂની બોટલો સાથે કિશોર ઝડપાયો
Share This Article
Facebook Email Print
Previous Article દિલ્હી એક્સાઈઝ પોલીસી મામલે EDએ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો, 30 સ્થળોએ દરોડા
Next Article શાપુરજી પલોનજી ગ્રુપની 23,500 કરોડની લોન પૂરી કરવા ઈચ્છતા હતા મિસ્ત્રી, જાણો હવે શું થશે?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up