– માતા શૈલપુત્રીને લાલ અને સફેદ રંગ ખૂબ જ પસંદ છે. માટે તેમની પૂજામાં સફેદ ફૂલ, સફેદ રંગના ભોગનો ઉપયોગ શુભ માનવામાં આવે છે
અમદાવાદ, તા. 26 સપ્ટેમ્બર 2022, સોમવાર : શારદીય નવરાત્રીના 9 દિવસો માતા દુર્ગાને સમર્પિત છે.આ વર્ષે શારદીય નવરાત્રીની શરૂઆત આજથી થઈ રહી છે અને 4 ઓક્ટોબરના રોજ તેનું સમાપન થશે.આમ, 3 ઓક્ટોબરના રોજ મહાઅષ્ટમીનું વ્રત રાખવામાં આવશે.નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજાનું વિધાન છે.
માર્કંડેય પુરાણ અનુસાર માતા શૈલપુત્રી હિમાલયરાજના પુત્રી છે.માટે દેવી દુર્ગાના પ્રથમ સ્વરૂપનું નામ શૈલપુત્રી પડ્યું.માતા શૈલપુત્રીની વિધિવત ઉપાસના કરવાથી ધન,ઐશ્વર્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.તો ચાલો જાણીએ પ્રથમ નોરતે માતા શૈલપુત્રીની પૂજા વિધિ,મંત્ર ભોગ અને આરતી તથા માતાના પ્રિય રંગ વિશે…
માતા શૈલપુત્રીની પૂજાવિધિ
– નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા પહેલા શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના (ઘટસ્થાપના) કરો.
– માતા શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગનું ખાસ મહત્વ છે.એવી માન્યતા છે કે, માતા શૈલપુત્રીને લાલ અને સફેદ રંગ ખૂબ જ પસંદ છે.માટે તેમની પૂજામાં સફેદ ફૂલ,સફેદ રંગના ભોગનો ઉપયોગ શુભ માનવામાં આવે છે.
– ઘરના પૂજા સ્થળે પૂર્વ કે પૂર્વોત્તર દિશામાં કોઈ ચોકી પર લાલ રંગનું વસ્ત્ર બિછાવીને તેને ગંગાજળ વડે પવિત્ર કરો અને તે સ્થળે માતા દુર્ગાની પ્રતિમા કે ચિત્રની સ્થાપના કરો.
– માતા શૈલપુત્રીને પાન, સોપારી,સફેદ ચંદન,નારિયેળ,લવિંગ,પાન,સોપારી,કુમકુમ,સોળ શણગાર વગેરે અર્પિત કરો.
– માતા શૈલપુત્રીને ભોગમાં ગળ્યા રસગુલ્લા કે બરફી ધરાવો.સાથે જ ઘી વડે બનાવેલી વસ્તુઓ અર્પિત કરો.
– ધૂપ-દીપ કરીને મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીનું ધ્યાન ધરીને ‘ॐ એં હ્રીં ક્લીં શૈલપુત્ર્યૈ નમઃ’ આ મંત્રનો ઓછામાં ઓછા 108 વખત જાપ કરો.
આ રંગના વસ્ત્રો પહેરીને કરો માતાની પૂજા
માતા શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગનું ખાસ મહત્વ છે.શાસ્ત્રીય માન્યતાઓ અનુસાર મા શૈલપુત્રીની પૂજા સફેદ રંગના વસ્ત્રો પહેરીને કરવી જોઈએ.તેનાથી મા શૈલપુત્રીના વિશેષ આશીર્વાદની પ્રાપ્તિ થશે.
મા શૈલપુત્રીનો પૂજા મંત્ર
વંદે વાંછિતલાભાય ચંદ્રાર્ધકૃતશેખરમ્. વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રીં યશસ્વિનીમ્. પૂણેન્દુ નિભાં ગૌરી મૂલાધાર સ્થિતાં પ્રથમ દુર્ગા ત્રિનેત્રામ્.
(वन्दे वांछितलाभाय चन्द्रार्धकृतशेखरम्। वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्।। पूणेन्दु निभां गौरी मूलाधार स्थितां प्रथम दुर्गा त्रिनेत्राम्॥)
માં અંબે ગૌરીની આરતી
જય અંબે ગૌરી, મૈયા જય શ્યામા ગૌરી
તુમકો નિશદિન ધ્યાવત, હરિ બ્રહ્મા શિવરી
ॐ જય અંબે ગૌરી
માંગ સિંદૂર વિરાજત, ટીકો મૃગમદ કો
ઉજ્જ્વલ સે દોઉ નૈના, ચંદ્રવદન નીકો
ॐ જય અંબે ગૌરી
કનક સમાન કલેવર, રક્તામ્બર રાજૈ
રક્તપુષ્પ ગલ માલા, કંઠન પર સાજૈ
ॐ જય અંબે ગૌરી
કેહરી વાહન રાજત, ખડૂગ ખપ્પર ધારી
સુર–નર મુનિજન સેવત, તિનકે દુખહારી
ॐ જય અંબે ગૌરી
કાનન કુંડલ શોભિત, નાસાગ્રે મોતી
કોટિક ચંદ્ર દિવાકર, સમ રાજત જ્યોતિ
ॐ જય અંબે ગૌરી
શુભ નિશુમ્ભ વિદારે, મહિષાસુર ઘાતી
ધૂમ્ર વિલોચન નૈના, નિશદિન મદમાતી
ॐ જય અંબે ગૌરી
ચણ્ડ-મુણ્ડ સંહારે, શૌણિત બીજ હરે
મધુ-કૈટભ દોઉ મારે, સુર ભયહીન કરે
ॐ જય અંબે ગૌરી
બ્રહ્માણી,રુદ્રાણી,તુમ કમલા રાની
આગમ નિગમ બખાની, તુમ શિવ પટરાની
ॐ જય અંબે ગૌરી
ચૌસઠ યોગિની મંગલ ગાવત, નૃત્ય કરત ભૈરોં
બાજત તાલ મૃદંગા, અરૂ બાજત ડમરૂ
ॐ જય અંબે ગૌરી
તુમ હી જગ કી માતા, તુમ હી હો ભરતા
ભક્તન કી દુ:ખ હરતા, સુખ સંપત્તિ કરતા
ॐ જય અંબે ગૌરી
ભુજા ચાર અતિ શોભિત, વરમુદ્રા ધારી
મનવાંછિત ફલ પાવત, સેવત નર નારી
ॐ જય અંબે ગૌરી
કંચન થાલ વિરાજત, અગર કપૂર બાતી
શ્રીમાલકેતુ મેં રાજત, કોટી રતન જ્યોતિ
ॐ જય અંબે ગૌરી
શ્રી અંબેજી કી આરતી, જો કોઈ નર ગાવે
કહત શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ પાવે
ॐ જય અંબે ગૌરી
જય અંબે ગૌરી, મૈયા જય શ્યામા ગૌરી


