કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી (આપ) આ ચૂંટણીમાં ભાગ્યે જ પોતાનું ખાતું ખોલાવી શકશે. મને નથી લાગતું કે પાર્ટી એક પણ સીટ જીતી શકશે.ગુજરાતમાં 1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાન પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા હતા.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપની એન્ટ્રીના સવાલ પર અમિત શાહે કહ્યું કે દરેક પાર્ટીને ચૂંટણી લડવાનો અધિકાર છે,પરંતુ તે લોકો પર છે કે તેઓ પાર્ટીને સ્વીકારે છે કે નહિ.તેમણે કહ્યું કે ગુજરાતની જનતાના મનમાં ‘આપ’ પાર્ટી ક્યાંય નથી.ચૂંટણી પરિણામોની રાહ જુઓ કદાચ તમારું નામ સફળ ઉમેદવારોની યાદીમાં નહિ આવે.કોંગ્રેસ અંગે શાહે કહ્યું કે તે હજુ પણ મુખ્ય વિપક્ષી પાર્ટી છે,પરંતુ પાર્ટી સંકટમાંથી પસાર થઈ રહી છે અને તેની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વિશે પૂછવામાં આવ્યું ત્યારે શાહે કહ્યું કે રાજકારણમાં સતત પ્રયત્નો જરૂરી છે. “હું હંમેશા માનું છું કે રાજકારણીઓને સખત મહેનત કરવાની જરૂર છે અને જ્યારે વ્યક્તિ સખત મહેનત કરે છે ત્યારે તે સારું છે.પરંતુ રાજકારણમાં સતત પ્રયત્નો જ પરિણામ દર્શાવે છે.તેથી રાહ જુઓ અને જુઓ.