સુરત શહેરની હાઈપ્રોફાઈલ ગણાતી કતારગામ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદભાઈ મોરડિયાની જીત થઈ છે.આ બેઠક પર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સાથે તેમનો મુકાબલો હતો. જો કે ગોપાલ ઈટાલિયાનો પરાજય થયો છે.ચૂંટણી પંચના આંકડા પર નજર નાંખીએ તો,ભાજપ ઉમેદવાર વિનુ મોરડિયાને 89,347 મત મળ્યા છે.જ્યારે બીજા ક્રમે રહેલા ગોપાલ ઈટાલિયાને 43,582 મત મળ્યા છે.જો મતની ટકાવારી પ્રમાણે જોઈએ તો,ભાજપ ઉમેદવારને 58.94 ટકા મત મળ્યા હતા.જ્યારે આપના ઉમેદવારને 28.75 ટકા મત મળ્યા છે.આ સિવાય કોંગ્રેસ ઉમેદવાર કલ્પેશભાઈ વારિયાને માત્ર 10.6 ટકા મત જ મળ્યા છે.
કતારગામ બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં
કેટલા ટકા મતદાન થયું
કતારગામ બેઠક પર 176870 પુરુષ અને 145367 મહિલા મતદારો તથા 2 અન્ય મળી કુલ 322239 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પર 64.08 ટકા મતદાન થયું છે.
કતારગામની રસપ્રદ વિગત
કતારગામ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 166 નંબરની બેઠક છે.કતારગામ સુરત લોકસભા બેઠકમાં આવે છે.કતારગામ એ સુરત શહેરનો એક વિસ્તાર છે અને તે વિશ્વ પ્રસિદ્ધ સુરત હીરા ઉદ્યોગનું યજમાન છે.આજે કતારગામની ગણના સુરત શહેરના શ્રેષ્ઠ વિકસિત વિસ્તારોમાં થાય છે અને હીરા ઉદ્યોગનું ગૌરવ ગણાય છે.આ વિસ્તાર એક ગાઢ કોન્ક્રીટ જંગલ તરીકે પણ જાણીતો છે.કતારગામ 70ના દશકમાં સ્વતંત્ર પંચાયત હતું,પરંતુ ત્યાર બાદ તેનો સમાવેશ સુરત મહાનગરપાલિકામાં થઇ ગયો.હીરા ઉદ્યોગના વિકાસને કારણે અહીંની વસ્તીમાં ધરખમ વધારો નોંધાયો અને 2008માં અંદાજિત આંકડો સાત લાખને પાર કરી ગયો.અહીંની મોટાભાગની વસ્તી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર બાજુની છે,વર્ષ 2006માં અમરોલી,છાપરાભાઠા અને કોસાડ નગરપાલિકાઓનાં સમાવેશ બાદ કતારગામ ઝોનલ વિસ્તારનાં કદમાં પણ વધારો થયો.
શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 27 પુરુષ અને 1 મહિલા મળી કુલ 28 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.જેમાંથી 11 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 3 ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.જેમાંથી 12 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.નવા સિમાંકન બાદ આ બેઠક 2012માં અસ્તિત્વમાં આવી હતી.છેલ્લી બે ટર્મથી આ બેઠક પર ભાજપ વિજયી થાય છે. 2017માં વિનોદ મોરડિયાનો 79230 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 125387 મત મળ્યા હતા.