મધ્યપ્રદેશના ઇન્દોરમાં સ્વાસ્થ્ય કર્મચારીઓ પર મારપીટ અને પથ્થરમારો કર્યાનો એક કિસ્સો ફરીથી સામે આવ્યો છે. તાજેતરનો કેસ ટાટાપટ્ટી બાખલ વિસ્તારનો છે. જ્યાં સ્વાસ્થય વિભાગની ટીમ કોવિડ સ્ક્રીનિંગ માટે પહોંચી હતી. એ વાત પર સ્થાનિક લોકો ભડકયા અને કથિત રીતે તેમણે પોલીસની બેરિકેડને તોડી નાંખી. તેમજ સ્વાસ્થ્યકર્મીઓ પર પથ્થરમારો કર્યો. બાદમાં પોલીસવાળાઓએ સ્થળ પર પહોંચીને કેસ શાંત પાડ્યો. આની પહેલાં સોમવારના રોજ રાનપુરા વિસ્તારમાં કોવિડની તપાસમાં એકત્રિત થયેલી ટીમે આરોપ મૂકયો કે મોહલ્લાઓના લોકોએ તેમને અપશબ્દો કહ્યા અને તેમના પર થૂંકયા.
આ કેસ સામે આવ્યા બાદ જિલ્લા કલેકટર મનીષ સિંહે કહ્યું કે ડૉકટર અને હેલ્થ સ્ટાફે કોઇપણ ગેરવર્તૂણક કરશે તો તેમને છોડાશે નહીં. આ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દેવા માંગે છે. અમારી ટીમ-ડૉકટર, પોલીસકર્મી દિવસ-રાત મહેનત કરી રહ્યા છે અને શહેરની પ્રજાના સ્વાસ્થ્ય માટે ફરી રહ્યા છે. તેની સાથે જ જો કોઇ ગેરવર્તૂણક કરશે તો તરત જ FIR થશે, ધરપકડ થશે અને જેલ પણ મોકલી દેવાશે.આ કેસમાં એક શખ્સની ઓળખ થઇ ગઇ છે. તેઓ ગેરેજવાળા છે. તેમની ધરપકડ કરી જેલ મોકલી દેવાશે. આપણે એ જોવાનું છે કે કોઇ બહાર ના આવે અને અહીં કોઇ અંદર ના આવે. તો ઇન્દોર ડીઆઇજીએ કહ્યું કે શહેરમાં મોટાભાગની ફોર્સ પણ સ્થાપિત કરાય રહી છે.
ઇન્દોરમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા વધીને 75 થઇ ગઇ છે.બુધવારના રોજ 12 નવા દર્દી મળ્યા છે જેમાંથી 8 ગંભીર છે. બુધવાર મોડી રાત્રે રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર તંજીમ નગરના ત્રણ પુરુષ પોઝિટીવ આવ્યા છે. એક દિવસ પહેલા આ વિસ્તારમાંથી એક જ પરિવારના 9 સભ્ય કોરોના સંક્રમિત મળ્યા હતા. મધ્યપ્રદેશમાં જેટલા કોરોના સંક્રમિત છે તેમાંથી 76 ટકા એકલા ઇન્દોરમાં મળ્યા છે.પીએમ મોદીએ તાજેતરમાં જ વારાણસીના લોકોની સાથે સંવાદ કરતાં સ્વાસ્થય કર્મચારીઓની સાથે ખરાબ વર્તન કર્યું હતું. સંકટના આ સમયમાં હોસ્પિટલમાં સફેદ કપડામાં દેખાઇ રહેલા ડૉકટર-નર્સ, ઇશ્વરનું જ રૂપ છે. ખુદને ખતરામાં નાખીને તેઓ આપણને બચાવી રહ્યા છે. તેની સાથે જ ખરાબ વર્તન થતું દેકાયું તો તમે ત્યાં જઇને લોકોને સમજાવો. ડૉકટર, નર્સ, મેડિકલ સ્ટાફ જિંદગી બચાવે છે અને આપણે તેમનું કયારેય ઋણ ઉતારી શકીશું નહીં.