By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તાંબાના સુર્યનારાયણ ઘરમાં આ જગ્યાએ લગાવો : થશે ફાયદો જ ફાયદો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તાંબાના સુર્યનારાયણ ઘરમાં આ જગ્યાએ લગાવો : થશે ફાયદો જ ફાયદો
GeneralReligious

તાંબાના સુર્યનારાયણ ઘરમાં આ જગ્યાએ લગાવો : થશે ફાયદો જ ફાયદો

HM News
Last updated: 20/01/2023 3:25 AM
HM News
2 years ago
Share
SHARE

તાંબાના સુર્યનારાયણ ઘરની નકારાત્મકતાને દુર કરવા માટે વાસ્તુના મુખ્ય ઉપાયોમાંથી એક માનવામાં આવે છે.તાંબાના સુર્યનારાયણ તાંબાની પ્લેટ પર સુર્ય જેવી બનેલી આકૃતિ સમાન હોય છે.એવુ માનવામાં આવે છે કે ઘરમાં યોગ્ય જગ્યાએ તાંબાનો સુર્ય લગાવવાથી ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મકતા દુર થાય છે.તાંબાનો સુર્ય સકારાત્મક પ્રભાવને વધારે છે અને હાનિકારક પ્રભાવને દુર કરે છે.આવો તમને જણાવીએ કે તાંબાના સુર્યને લગાવવાના ફાયદા શું છે?

શું છે વાસ્તુના નિયમો?

વાસ્તુના નિયમો અનુસાર તાંબાના બનેલા સુર્યને ઘરમાં લગાવવાથી તે તમને ઘર અને ઓફિસ તમામ સ્થાન પર સન્માનની પ્રાપ્તિ કરાવે છે.તાંબાના સુર્યદેવ પ્રભાવશાળી લોકો સાથેના તમારા સંબંધોને બહેતર બનાવે છે.એવું કહેવાય છે કે તાંબાના સુર્યમાં એટલી પ્રબળ આકર્ષણ ક્ષમતા હોય છે કે તે પ્રભાવશાળી વ્યક્તિત્ત્વવાળા લોકોને પોતાની તરફ આકર્ષે છે.

જે લોકો ક્રિએટિવ કાર્ય સાથે જોડાયેલા હોય છે તેમના માટે તાંબાનો સુર્ય વિશેષ લાભ આપનાર માનવામાં આવે છે.ઘરમાં સુર્ય લગાવવાથી પરિવારના લોકો સાથેના સંબંધો મજબુત થાય છે. ખુબ જ નામ કમાવાય છે.જે લોકો બિઝનેસ કરતા હોય અથવા સરકારી અધિકારી હોય અથવા તો કલાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા હોય તેમણે પોતાના ઘરમાં સુર્ય અવશ્ય લગાવવો જોઇએ.

ક્યાં લગાવશો

તમારા ઘરમાં પુર્વ દિશામાં કોઇ દરવાજો કે કોઇ રસ્તો ન હોય તો પુર્વ દિશાની દિવાલ પર તાંબાના સુર્યનારાયણ લગાવો.તેનાથી વાસ્તુદોષ દુર થાય છે.તે તમારા ઘરમાં સમૃદ્ધિ લઇને આવે છે અને ઘરમાં રહેતા લોકોના સંબંધ મધુર બનાવે છે.મુખ્ય દરવાજો જો પુર્વ દિશામાં હોય તો દરવાજાની બહારની તરફ તાંબાનો સુર્ય લગાવવાથી ધન સંપદા તમારા ઘર તરફ આકર્ષાય છે.આ સુર્યનારાયણ ઘરમાં પ્રવેશતી વખતે તમને દેખાવા જોઇએ.

તાંબાના સુર્યનારાયણના શું છે ફાયદા?

વાસ્તુમાં એવુ માનવામાં આવે છે કે જો તમે સીધા સુર્યના કિરણો સામે ઉભા રહી શકતા ન હો તો તાંબાના સુર્યમાંથી મળતી ઉર્જાનો લાભ પ્રાપ્ત કરી શકો છો.તમે તેને ઓફિસમાં કે ઘરમાં ક્યાંય પણ લગાવો.તાંબાના સુર્યમાંથી મળતી ઉર્જા તમારા કરિયરને આગળ વધારવામાં મદદ કરે છે.

લગ્નગાળાને લઇને ટ્રાફિકજામની સમસ્યા વકરી, કલાકો સુધી અટવાતા વાહનચાલકો
નશામાં ધૂત યુવકે જૂતા પહેરીને શિવલિંગ પર કર્યો બિયરનો અભિષેક, કાર્યવાહીની માગણી
શક્તિસિંહ ગોહિલની રેલીમાં જવું ભારે પડ્યું, વશરામ સાગઠિયાને AAPએ બરતરફ કર્યા
‘મિશન સુરક્ષિત સુરત’ અંતર્ગત ગુનેગારોને સુધરવામાં પોલીસ મદદ કરશે
૨૦૦ કૅન્સર પેશન્ટ્સનું ૪.૭૫ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું આ ડૉક્ટરે
Share This Article
Facebook Email Print
Previous Article PM Modiએ બાળઠાકરે ક્લિનિકનું કર્યું ઉદ્ઘાટન, શિવસેના ગંઠબંધન પર આપ્યું આ નિવેદન
Next Article નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર આજે દેશમાં ઊજવાશે પરાક્રમ દિવસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up