મહાશિવરાત્રિના દિવસે સવારે વહેલા ઉઠો,સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.આ દિવસે લીલા વસ્ત્રો પહેરવા શુભ હોય છે.આ પછી શિવ મંદિરમાં જઈને શુદ્ધ જળ,શેરડીનો રસ,દૂધ,દહીં,મધ અને ઘી વગેરેથી શિવલિંગનો અભિષેક કરો.હવે શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો અને ભગવાનને બિલીપત્ર,ભાંગ,ધતુરા,ફળ,મીઠાઈ વગેરે અર્પણ કરો.આ પછી શિવ ચાલીસાનો પાઠ કરો અને ભગવાન શિવના મંત્રોનો જાપ કરો.અંતમાં ભગવાન શિવની આરતી ગાઓ.
તમે જાણો છો શિવના જન્મ સાથે જોડાયેલ રહસ્ય?
ભગવાન શિવને સ્વયંભુ કહેવામાં આવે છે.તેનો અર્થ એ છે કે તે અજાત છે.તે ન તો શરૂઆત છે કે ન તો અંત.ભોલેનાથની ઉત્પત્તિ વિશે રહસ્ય હજુ પણ છે.શિવપુરાણ અનુસાર, ભગવાન શિવને સ્વયં પ્રગટ માનવામાં આવે છે,જ્યારે વિષ્ણુ પુરાણ અનુસાર, ભગવાન વિષ્ણુના માથાના તેજથી શિવની ઉત્પત્તિ થઈ હોવાનું કહેવાય છે.કહેવાય છે કે જેના પર શિવની કૃપા હોય છે તેને જીવનમાં કોઈપણ સંકટનો સામનો કરવો પડતો નથી.ભગવાન શિવની પૂજા લિંગના રૂપમાં કરવામાં આવે છે.શિવને પ્રસન્ન કરવાનો એક જ ઉપાય છે,તેમની સાચી ભક્તિ.
મહાશિવરાત્રીના દિવસે રાશિ પ્રમાણે શિવલિંગને આ વસ્તુઓ ચઢાવો
મેષ : બિલીપત્ર અર્પણ કરો.
વૃષભ : દૂધમાં પાણી મિક્સ કરીને અર્પણ કરો.
મિથુન: દહીં મિશ્રિત જળ અર્પણ કરો.
કર્કઃ ચંદનનું અત્તર અર્પણ કરો.
સિંહ : ઘીનો દીવો પ્રગટાવો.
કન્યા: કાળા તલ અને પાણી મિક્સ કરીને અભિષેક કરો.
તુલા: સફેદ ચંદનને પાણીમાં મિક્સ કરો.
વૃશ્ચિક: પાણી અને બિલીપત્ર અર્પણ કરો.
ધનુ: અબીલ કે ગુલાલ ચઢાવો.
મકર: ગાંજો અને ધતુરો અર્પણ કરો.
કુંભ : ફૂલ અર્પણ કરો.
મીન : શેરડીના રસ અને કેસરથી અભિષેક કરો.


