By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહીસાગરના સંતરામપુર વનવિભાગના 15 કર્મચારીઓ પર નોંધાઇ ફરીયાદ, જાણો શું છે મામલો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > મહીસાગરના સંતરામપુર વનવિભાગના 15 કર્મચારીઓ પર નોંધાઇ ફરીયાદ, જાણો શું છે મામલો
GeneralVadodara

મહીસાગરના સંતરામપુર વનવિભાગના 15 કર્મચારીઓ પર નોંધાઇ ફરીયાદ, જાણો શું છે મામલો

HM News
Last updated: 28/02/2023 9:18 AM
HM News
2 years ago
Share
SHARE

મહીસાગર, તા. 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર : જંગલની જમીનપરના છાપરાની તોડફોડ કરી જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલનાર સંતરામપુર વનવિભાગના 15 કર્મચારીઓ સામે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી છે.જોકે આ ઘટનામાં પહેલા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી ન હતી.ત્યારે વકીલ મારફતે મહીસાગરના એડી. સેસન્સ જજ સમક્ષ ક્રિમીનલ ઈન્કવાયરી દાખલ કરતાં કોર્ટે ઈન્કવાયરી કરાવતાં એડી સેસન્સ જજે લુણાવાડા દ્વારા આરોપીઓ સામે ગુનો નોધવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

વન વિભાગના ઉપલા અધિકારીને જાણ કર્યા વગર બારોબાર કર્મચારીઓ દ્વારા અનુસૂચિત જાતિના ઈસમોને હેરાન કરનાર 15 જેટલા વનવિભાગના કર્મચારી સામે એટરોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.પૂરાવાના આધારે લુણાવાડા સેસન્સ કોર્ટ દ્વારા આરોપી સામે ગુનો નોંધવા કર્યો આદેશ જેના પગલે સનતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

વન કર્મીએ માંગ્યા પૈસા

મોટા ઓરા ગામે જંગલની જમીન 1980 પહેલાંથી ખેડતા હતા.આ દરમિયાન કાન્તીભાઈ ગલાભાઈનો 50 વર્ષ ઉપરાંતનો કબજો ધ્યાને લઈ સરકારના પરીપત્ર મુજબ જમીનની ફાળવણી કરી સનદ ઈસ્યુ કરી હતી.ત્યારથી વાલ્મીકીના છાપરાં તે જંગલની જમીનમાં હતા.જંગલની જમીનમાં છાપરૂ હોવા બાબતે રામર્ભમ બીટના બીટગાર્ડ રવિભાણ,ખાંટ અરવિંદભાઈ,મણીલાલ પુંજાભાઈ,લેડી બીટગાર્ડ તથા બીજા 10 જેટલા ફોરેસ્ટના બીટગાર્ડ તેમજ અધિકારીઓએ 29 મી ડિસેમ્બર 2022 ના રોજ સ્થળ પર આવી જણાવેલ કે તારે આ જગ્યાએ છાપરૂ રાખવુ હોય તો રૂા વીસ હજાર આપવા પડશે.તે રકમ નહી આપે તો તારૂ છાપરૂ તોડી નાખીશ.

પોલીસે ગુનો ન નોંધ્યો

આ દરમિયાન પૈસા નહી આપીને સનદ બતાવવા છતાં બીડગાર્ડોએ જાતિ વિષયક અપમાનીત શબ્દો બોલ્યા હતા.આ ઉપરાંત ગેરકાયદે છાપરૂ તોડી નાખી ખાનગી વાહનમાં માલ સામાન ભરી લઈ જઈ ગુનો કર્યો હતો.તે બાબતની ફરીયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરી હતી પરંતુ પોલીસે ગુનો નોંધ્યો ન હતો.ત્યારે વકીલ મારફતે મહીસાગરના એડી. સેસન્સ જજ સમક્ષ ક્રિમીનલ ઈન્કવાયરી દાખલ કરતાં કોર્ટે ઈન્કવાયરી કરાવતાં એડી સેસન્સ જજે લુણાવાડા દ્વારા આરોપીઓ સામે ગુનો નોધવાનો આદેશ કરવામાં આવ્યો હતો 15 જેટલા સામેલ બીડગાર્ડ સામે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શ્વેતા તિવારી વિરુદ્ઘ અભિનવ કોહલીએ કર્યો માનહાનિનો કેસ,નોટિસ આપી
અડાજણની સંસ્કાર ભારતી અને રિવરડેલ સ્કૂલના 2 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતા ખળભળાટ
અમદાવાદ શહેરનો રક્ષક જ બન્યો ભક્ષક ! જૂની અદાવતમાં વૃદ્ધને માર્યો માર ! ચાર પોલીસકર્મી વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસે નોંધ્યો ગુન્હો !
સુરતમાં TRBના જવાને મહિલા TRBને પ્રેમમાં ફસાવી, લગ્ન નહીં કરવા નદીમાં નાખી દીધી
કોરોના મહામારીને લઈને આજે રાત્રે આઠ વાગ્યે વડાપ્રધાન મોદી ફરીથી દેશને સંબોધશે
Share This Article
Facebook Email Print
Previous Article કુખ્યાત ગેંગસ્ટર પ્રસાદ પૂજારીની હોંગકોંગમાં અટકાયત
Next Article ગુજરાત : 20 હજાર કરોડના કૌભાંડો પછી પણ સરકારી કંપની GSPC ઠપ થઇ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up