અમદાવાદ, તા. 22 માર્ચ 2023 બુધવાર : આજે 22 માર્ચ બુધવારથી ચૈત્ર નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ છે.નવરાત્રિમાં માતા દુર્ગાના નવ રૂપોની વિધિસર પૂજા-અર્ચના કરવામાં આવે છે.આ સાથે જ ભક્ત માતાને પ્રસન્ન કરવા માટે નવ દિવસના ઉપવાસ પણ કરે છે.નવ દિવસ બાદ કન્યા પૂજન અને હવન બાદ ઉપવાસ પૂરા કરવામાં આવે છે.જોકે અમુક લોકો નવરાત્રિના પહેલા અને છેલ્લા દિવસે જ ઉપવાસ કરતા હોય છે.
ઉલ્લેખનીય છેકે વ્રત એક દિવસ હોય કે નવ દિવસનું જો તમે આ દરમિયાન અમુક જરૂરી વાતોનું ધ્યાન ના રાખો તો આનાથી તમારૂ સ્વાસ્થ્ય બગડી શકે છે.તો આવો જાણીએ કે ઉપવાસ દરમિયાન અને ઉપવાસ પૂર્ણ થયા બાદ ભોજનમાં શું લેવુ જોઈએ.
નવ દિવસના ઉપવાસ બાદ તાત્કાલિક શું ખાવુ અને શું નહીં
1. જો તમે નવરાત્રિમાં નવ દિવસના ઉપવાસ કરી રહ્યા છો તો ઉપવાસ દરમિયાન શરીરમાં શુગર ઘટી શકે છે.દરમિયાન ઉપવાસ માટેનો ભારે ખોરાક ખાવાનું ટાળો.એક સાથે ખૂબ ના ખાવ,આનાથી સમસ્યા વધી શકે છે.
2. ઉપવાસ પૂર્ણ થયા બાદ ફળોનું સેવન કરવુ યોગ્ય છે પરંતુ ખાટા ફળોનું સેવન બિલકુલ ના કરો.એવુ એટલા માટે કેમ કે ઉપવાસ પૂર્ણ થયાના તાત્કાલિક બાદ ખાટા ફળ ખાવાથી એસિડિટીની સમસ્યા વધી શકે છે.
3. મોટાભાગે લોકો ઉપવાસ પૂરો થયા બાદ ચા-કોફી પીવે છે.તો આ પણ એક ખરાબ ઓપ્શન છે.લાંબા સમય સુધી ભૂખ્યા રહ્યા બાદ કેફીનયુક્ત વસ્તુ લેવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
4. ઘણા ઘરોમાં ઉપવાસ પૂરો થયા બાદ જાતભાતના પકવાન બનાવવામાં આવે છે જેમાં ભરપૂર પ્રમાણમાં મીઠુ,મરચુ,મસાલા અને તેલ હોય છે.આખો દિવસ ઉપવાસ કર્યા બાદ આ પ્રકારનું ભોજન કરવાથી પેટ તેને સરળતાથી પચાવી શકતુ નથી જેનાથી પેટનો દુખાવો અને ગેસની સમસ્યા થઈ શકે છે.
5. નવ દિવસ બાદ જ્યારે ઉપવાસ પૂરા થાય ત્યારે ભોજનમાં સામાન્ય,ઓછા તેલ મસાલાવાળા ભોજન જ પસંદ કરો.આનાથી તમારા શરીરને જરૂરી પોષકતત્વ પણ મળશે અને હેલ્થને મુશ્કેલીઓ પણ પડશે નહીં.


