By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત : ધારાસભ્ય ઝંખનાબેન પટેલનો સંસ્થાઓના સંકલનથી જરૂરીયાતમંદોને દરરોજ ૨૦ હજાર ફુડ પેકેટ્સનો સેવાયજ્ઞ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત : ધારાસભ્ય ઝંખનાબેન પટેલનો સંસ્થાઓના સંકલનથી જરૂરીયાતમંદોને દરરોજ ૨૦ હજાર ફુડ પેકેટ્સનો સેવાયજ્ઞ
GeneralGujarat NowSurat

સુરત : ધારાસભ્ય ઝંખનાબેન પટેલનો સંસ્થાઓના સંકલનથી જરૂરીયાતમંદોને દરરોજ ૨૦ હજાર ફુડ પેકેટ્સનો સેવાયજ્ઞ

HM News
Last updated: 05/04/2020 3:11 AM
HM News
5 years ago
Share
SHARE

લોકડાઉનમાં ગરીબ-શ્રમજીવી પરિવારની વ્હારે ધારાસભ્ય ઝંખનાબેન પટેલેઃ ૩ રસોડામાં સતત કાર્યરત

કોરોના વાયરસની ચેઈને તોડવા માટે વડાપ્રધાન દ્વારા દેશભરમાં આગામી તા ૧૪ મી એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે ત્યારે આ લોકડાઉન ના કારણે સૌથી ખરાબ હાલત મજૂરી કામ કરતા સ્લમ વિસ્તારમાં રહેતા લોકોની થઈ છે.આવા લોકોની અનેક સેવાભાવી સંસ્થાઓ મદદ કરી રહી છે.જેમાં સુરત ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલે પણ તેમના વિસ્તારના ગરીબ લોકોને ફૂડ પેકેટ મોકલવા માટે એક સાથે ત્રણ મોટા રસોડા શરૂ કરીને રોજ ૨૦ હજારથી પણ વધુ ફૂડ પેકેટનુ વિતરણ શરૂ કર્યુ છે.કોરોના વાયરસને અટકાવવા માટે લોકડાઉનની જાહેરાત થતાની સાથે જ સુરત શહેરમાં રહેતા ગરીબ તથા મજૂર વર્ગના લોકો પોતાના વતન જવા માટે નિકળી પડ્યા હતા.ત્યારે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ દ્વારા આવા લોકોને સમજાવીને વતનઙ્ગ ન જવાને બદલે હાલમાં વડાપ્રધાન દ્વારા જે વિનંતી કરવામાં આવી છે તે પ્રમાણે જયાં છે ત્યા જ રોકાવા માટે સમજાવ્યા હતા.જોકે તેમની મહેનત રંગ લાવી હતી. તેમના વિસ્તારમાં આજે પણ મોટા ભાગના શ્રમજીવીઓ સુરતમાં જ છે.હવે આ લોકો સુરતમાં રોકાઈ તો ગયા પરંતુ તેઓને ભોજન પુરૂ પાડવા માટેની એક મોટી મુંજવણ ઉભી થઈ હતી. અને તેમણે તુરંત જ તેમના વિસ્તારમાં એક પછી એક કરીને ત્રણ રસોડા કાર્યરત કરી દિધા હતા.તેમના વિસ્તારની સામાજીક સંસ્થાના આગેવાનો સાથે બેઠક કરીને તેમણે એક સુંદર આયોજન કર્યુ હતુ.આ ત્રણ રસોડામાં રોજના ૨૦ હજારથી પણ વધુ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.જે સમય પ્રમાણે જરૂરીયાત મંદ લોકોને પહોંચતા પણ કરવામાં આવે છે.સૌથી મહત્વની વાત એ છે કે તેઓ તથા તેમના સ્વયંસેવક સ્લમ વિસ્તારમાં જઈને ફૂડ પેકેટનુ વિતરણ કરી રહ્યા છે.

લશ્કર એ તૈયબાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી રિયાઝ અહેમદની મસ્જિદમાં ગોળી મારીને કરાઈ હત્યા
ઈઝરાયેલ-હમાસના યુદ્ધમાં થયેલા મોતના આંકડા ચોંકાવનારા : હમાસના 6000 આતંકવાદીઓનો સફાયો થયો
ક્રાઇમ:કુખ્યાત નાસીર સુરતીએ બિલ્ડર પાસે ખંડણીમાં ઓફિસ અને ફ્લેટ માંગ્યો
ભારતમાં 3 ડોઝવાળી પહેલી કોરોના વેક્સિનનો સપ્લાય શરૂ, જાણો ઈન્જેક્શન વગર કઈ રીતે અને કોને મળશે
ચીનમાં ઓમિક્રોન વેરિઅન્ટનો કહેર, ઝડપથી વધી રહ્યા છે કેસ, એક વર્ષ બાદ 2ના મોત
Share This Article
Facebook Email Print
Previous Article દેશમાં બની રહેલી કોરોનાની રસી નાક દ્વારા આપવામાં આવશે
Next Article અમેરિકી પ્રમુખ ટ્રમ્પની રાજહઠ, હું માસ્ક પહેરવાનો નથી !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up