By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જાણો શા માટે મોદી સરકારે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનું માંડી વાળ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > જાણો શા માટે મોદી સરકારે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનું માંડી વાળ્યું
AhmedabadGeneral

જાણો શા માટે મોદી સરકારે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનું માંડી વાળ્યું

HM News
Last updated: 08/06/2023 8:54 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

– હેરિટેજનો દરજ્જો મળવામાં મુશ્કેલી ઊભી થાય

અમદાવાદમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને અમદાવાદ પૂર્વના લોકસભાના સાંસદ હસમુખ પટેલે કેન્દ્રમાં મોદી શાસનના 9 વર્ષના ઉપલક્ષમાં મીડિયાને સંબોધન કર્યું હતું.જેમાં સાંસદ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરનું નામ બદલી કર્ણાવતી કરવાની જીદ અને માંગ ભારતીય જનતા પાર્ટીની જ હતી.વર્ષ 1995થી 2000માં કર્ણાવતી નામ કરવાની દરખાસ્ત મુકાઈ હતી,પરંતુ તેને રદ કરી દેવામાં આવી હતી.ત્યારબાદ વર્ષ 2005માં અમદાવાદ શહેરને હેરિટેજ દરજ્જો મેળવવા માટે અરજી કરવામાં આવી હતી.અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવે તો હેરિટેજનો દરજ્જો મળવામાં મુશ્કેલી ઊભી થાય તેમ હતી.

અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે

એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને અમદાવાદ પૂર્વના લોકસભાના સાંસદ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરાય તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો જતો રહે. 600 વર્ષ જૂના અમદાવાદ શહેરને હેરિટેજ દરજ્જો મળે,પ્રવાસીઓમાં વધારો થાય અને લોકોને રોજગારી મળે તેના માટે આપણે અમદાવાદ તરીકે હવે સ્વીકારી લીધું છે.અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે.જ્યારે વર્લ્ડ હેરિટેજ સિટી માટે ડોઝિયર બનાવવામાં આવ્યું,તેમાં અમદાવાદ શહેર તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભાજપના નેતાઓ હવે કર્ણાવતી નામ નથી ઈચ્છતા

ભાજપના બંને નેતાઓએ વધુમાં જણાવ્યું હતું કે, ક્યાંય પણ કર્ણાવતીનું નામ લખવામાં આવ્યું નથી,જેથી ડોઝિયર પ્રમાણે અમદાવાદ શહેર હવે વર્લ્ડ હેરિટેજ સિટી છે.જેથી આ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવે તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અમદાવાદે ગુમાવવો પડી શકે છે.વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા માટે બનાવવામાં આવેલા ડોઝિયરમાં અમદાવાદ શહેર નામ લખ્યું છે.યુનેસ્કોમાં મોકલવામાં આવેલા ડોઝિયરમાં ક્યાંય પણ કર્ણાવતી નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.અમદાવાદ શહેરની ઓળખ ગુમાવવાના ભોગે ભાજપના નેતાઓ હવે કર્ણાવતી નામ કરવા ઈચ્છતા નથી.

પ્રેસ ફ્રીડમની સુરક્ષા માટે સ્થપાયેલ ‘ એડિટર્સ ગાઈડ ઓફ ઇન્ડિયા ‘ ની સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી
અમદાવાદ મ્યુનિ. કમિશ્નર વિજય નહેરાની સરકારે ગ્રામ વિકાસ વિભાગમાં કરી બદલી
ગુજરાતના પાટનગરમાં ભાજપનો ભગવો લહેરાયો, ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને AAP ના સૂપડાં સાફ
ઝોન-જ્ઞાતિનું સંતુલન રાખતું ગુજરાતનું નવુ મંત્રીમંડળ : એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતારાયા
રાજ્યવ્યાપી આચરાયેલા GST કૌભાંડના મુખ્ય આરોપીને સુરત ઇકોસેલે દબોચી લીધો
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં રત્નકલાકારે પરિવાર સાથે ઝેરી દવા પીધી,પત્ની-પુત્રીનાં મોત બાદ પુત્રએ પણ દમ તોડ્યો
Next Article વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રે ભડાકો, બરોડા સેન્ટ્રલ બેન્કના ચેરમેન-વાઈસ ચેરમેન બદલાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up