[weather_data]
Breaking News
TRENDING NEWS

જ્ઞાનવાપી મસ્જિદ અને શ્રૃંગાર ગૌરી કેસના અરજદારે રાષ્ટ્રપતિ પાસે માગી ઈચ્છામૃત્યુ, આપ્યું આ કારણ

[updated_date] [post_views]

Table of Content

– 9 જૂને સવારે 9 વાગ્યા સુધીમાં રાષ્ટ્રપતિ પાસેથી જવાબ માગ્યો

વારાણસી શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસના પાંચ અરજદારોમાંથી એક રાખી સિંહે ભારતના રાષ્ટ્રપતિને એક પત્ર લખીને ઈચ્છામૃત્યુની પરવાનગી માગી છે.રાખી સિંહે તેના નામના ખોટી પ્રચારને કારણે માનસિક દબાણનો ઉલ્લેખ કર્યો છે.

રાખી સિંહે રાષ્ટ્રપતિને પત્ર લખીને ઈચ્છામૃત્યુની પરવાનગી માગી

તેણે પોતાના પત્રમાં લખ્યું છે કે, હું રાખી સિંહ અને અન્ય વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય, શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં મુખ્ય વકીલ છું.આ મામલે મારા સાથીદારો જેમાં લક્ષ્મી દેવી, સીતા સાહુ,મંજુ વ્યાસ,રેખા પાઠક,એડવોકેટ હરિશંકર જૈન, તેમના પુત્ર એડવોકેટ વિષ્ણુ શંકર જૈન અને તેમના કેટલાક સહયોગીઓએ ખોટો પ્રચાર કર્યો અને મે 2022માં મારા કાકા અને કાકી જીતેન્દ્ર સિંહ વિસેન અને કિરણ સિંહ અને મને બદનામ કરી છે.

9 જૂને સવારે 9 વાગ્યા સુધીમાં રાષ્ટ્રપતિ પાસેથી જવાબ માગ્યો

રાખીએ પત્ર લખીને 9 જૂને સવારે 9 વાગ્યા સુધીમાં રાષ્ટ્રપતિ પાસેથી જવાબ માગ્યો છે. “હું 9મી જૂન, 2023 સવારે 9:00 વાગ્યા સુધી તમારા જવાબની રાહ જોઈશ.જો મને તમારા તરફથી કોઈ જવાબ ન મળે,તો પછી જે પણ નિર્ણય લેવામાં આવશે તે મારો પોતાનો હશે,” તેણે પત્રમાં લખ્યું છે.

શું છે મામલો?

નોંધનીય છે કે રાખી સિંહે અન્ય ચાર હિંદુ મહિલા અરજદારો સાથે ઓગસ્ટ 2021માં સિવિલ જજ,વારાણસીની કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદમાં શ્રૃંગાર ગૌરી સ્થળ પર દૈનિક પૂજાના અધિકારની માંગણી કરીને કેસ દાખલ કર્યો હતો.તેણે વધુમાં આરોપ લગાવ્યો કે તેણે ખોટી રીતે પ્રચાર કર્યો કે રાખી સિંહ કેસ પાછો ખેંચી રહી છે,જ્યારે ન તો મારા દ્વારા આવું કોઈ નિવેદન કે માહિતી જારી કરવામાં આવી હતી અને ન તો આ કેસમાં મારા વતી એડવોકેટ મારા કાકા જિતેન્દ્ર સિંહ વિસેને આવું કોઈ નિવેદન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles