ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લોકો પૈસાનું રોકાણ કરવામાં વધારે રસ દાખવી રહ્યા છે જેના કારણે સામાન્ય લોકો પણ હવે બેન્કિંગ સેક્ટરમાં રોકાણ કરી રહ્યા છે જેના કારણે લોકો હવે બેન્કિંગ સેક્ટર સહિત શેર બજારો વિશે નોલેજ મેળવી રહ્યા છે અને તેઓ શેરબજાર અને બેન્કિંગ સેક્ટરમાં રોકાણ કરી રહ્યા છે.
છેલ્લા એક બે વર્ષમાં લોકોને શેરબજારમાં રોકાણ કરવાનું અને અનિશ્ચિતતામાં બેંકમાં રોકાણ કરવાનો લોકોમાં વધારે રસ જોવા મળી રહ્યો છે જેને કારણે દેશમાં નાણાનું પ્રમાણ રોકાણની દ્રષ્ટિએ વધી રહ્યું છે અને આ તમામમાં અમદાવાદ મોખરે છે. આર્થિક તથા વ્યાપારિક મૂળ છે.ચાલી રહેલી અનિશ્ચિતતા તથા વૈશ્વિક સ્તરે મંદીના કારણે તેને ઘણું અસર કરી રહ્યું છે કેમકે તેના પર હજુ કોઈ નિશ્ચિત સ્થિતિ બની નથી,તેથી હવે જોખમી શેર બજાર કે તેના માધ્યમથી નાણા રોપવા પર લોકો વધારે પડતું ધ્યાન આપી રહ્યા છે.નાણા જમા કરાવવામાં ગુજરાતમાં વધુ રસ દાખવી રહ્યા છે અને રાજ્યમાં અગાઉના વર્ષની સરખામણીમાં બેંક થાપણમાં 11 ટકાના વધારા સાથે કુલ બેંક થાપાણો રૂપિયા 10 લાખ કરોડને પાર થઈ ગઈ છે.
રાજયની સ્ટેટ લેવલની બેન્કિંગ કમિટીના રિપોર્ટ મુજબ રાજ્યમાં કુલ બેંક થાપાણો 10.76 લાખ કરોડ રૂપિયા થઈ છે જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતનો ફાળો સૌથી વધારે છે જ્યારે મુખ્ય શહેરમાં અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ અને ગાંધીનગરમાં કુલ ડિપોઝિટના 62% રકમના મહાનગરોમાં જ મૂકવામાં આવી રહી છે.જેમાં અમદાવાદનો હિસ્સો સૌથી વધુ એટલે કે રૂપિયા 3.1 લાખ કરોડ છે,જ્યારે કચ્છ,આણંદ,વલસાડ અને ભરુચના NRI ડિપોઝિટ સૌથી વધારે રહી છે.રિઝર્વ બેંકમાં છેલ્લા દોઢ વર્ષમાં વ્યાજ દર 2.50% વધતા બેંક થાપાણોના વ્યાજ દરમાં પણ વધારો થયો છે,જેથી બેંકોમાં થાપણ પરનું વળતર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.જેના કારણે છેલ્લા એક વર્ષમાં બેંક થાપણો વધી છે.બેંક તથા પોસ્ટ ઓફિસ ડિપોઝીટનું પ્રમાણ પણ ઊંચું ગયું છે.
બેંક થાપણમાં પાંચ સૌથી ટોપ જિલ્લાઓમાં અમદાવાદમાં રૂપિયા 3.1 લાખ કરોડ રોકાણ થયું છે.વડોદરામાં 1.3 લાખ કરોડનું રોકાણ થયું છે,સુરતમાં 1.6 લાખ કરોડનું રોકાણ થયું છે,રાજકોટમાં 0.68 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે.ગાંધીનગરમાં 0.51 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે.