આપદામાં સેવાધર્મની આહ્લેક
રાજકોટ
કોરોના વાયરસે સર્જેલી મહા કટોકટી સમયે લોકડાઉનના કારણે સામાન્ય માનવીની જીવન સાયકલમાં વિઘ્નો આવ્યા અને અનેક લોકો કામ ધંધા વગરના થયા અને ખાવા ના પણ સાંસા થયા આવી કારમી પરિસ્થિતિમાં લોકડાઉનની સ્થિતિમાં શિવસેનાના પ્રમુખ અને સેવાધારી એવા જીમ્મી અડવાણી અને તેના સાથીદારો દ્વારા આ સેવા કાર્ય ચાલુ કરાયું હતું. બહાર નહી નીકળવાની શરતે શરૂઆતના દિવસોમાં મિત્રોને જે તે વિસ્તારમાં ફોન કરીને જાણ કરી તેના ઘરેથી આજુબાજુમાંથી ભોજનની વ્યવસ્થા કરીને શહેરના વિવિધ સ્થળોએ નિરાધારોની જઠરાગ્નિને ઠારી હતી.
ત્યારબાદ પરપ્રાંતિયોની હિજરત ચાલુ થતા જેને શાખા પ્રમુખ અને મિત્રોને જાણ કરી શહેરના અટીકા, આજીડેમ, યાર્ડ પાછળનો વિસ્તાર, યુનિવર્સસ્ટીના છેવાડેના વિસ્તાર, શીતળાનગર, કોઠારીયા સહિતના અને વિસ્તારોમાં જરૂરીયાતમંદોને ભોજન પહોંચાડ હતું. આ સેવા ય ્યૂં જ્ઞમાં શહેરના જયપાલસિંહ જાડેજા, ચંદુભાઇ પાટડીયા, સંજયટાંક, નિલેશ ચૌહાણ, રાજન દાશાની, રવિ ગોંડલીયા, બીપીન મકવાણા, પ્રકાશ જીંજીવાડીયા,વદન ટાંક જોડાયા હતા.
આ સેવાકાર્ય રાજકોટથી શરૂ કરી સૌરાષ્ટ્રના તાલુકા વિસ્તારમાં કોડીનારમાં રાજુભાઇ બામ્બનીયા, પાર્થ પુરોહીત, નાગજીભાઇ, ગાંધીધામમાં અનિલ શ્રીમાલી, ભાવેશ ડગલી, અંજારમાં ઈશ્વર ભાનુશાલી, સુરન
ભાનુશાલી, બોટાદમાં ધ્રુવરાજસિંહ, અજય પરમાર, પાલીતાણામાં નકુમભાઇ, ભાવનગરમાં જીવનભાઇ પરમાર સહિતનાઓ આ સેવાકાર્યમાં જોડાયા હતા.