ગુજરાતના માથે હાલ બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડળાઈ રહ્યો છે.તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.આ સાથે લોકોને વારવાર અપીલ પણ કરવામાં આવી રહી છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં રાજયના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જો કે, મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં આજે સવારથી જ પલટો જોવા મળી રહ્યો છે.
વેરાવળ અને સુત્રાપાડામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરુ થઈ ગયો છે.છેલ્લા 24 કલાકમાં સાઠ આઠ ઈંચ વરસાદ ખાબક્તા રસ્તાઓ બેટમાં ફેરવાયા છે.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી તળાઈ હતી.જ્યારે ખંભાળિયામાં આજે સવારે બે કલાકમાં 3 ઈંચ અને ઉપલેટામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.બિપોરજોય વાવાઝોડાની અસર હાલ કચ્છમાં સૌથી વધારે જોવા મળી રહી છે.કચ્છમાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.ભારે પવન અને વીજળીના કડકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી 15 અને 16 જૂનના રોજ કચ્છ,દ્વારકા,જામનગર,પોરબંદર,રાજકોટ,મોરબીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.આ જિલ્લામાં 125થી135 કિલોમીટરની સ્પીડે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, હાલ મોટાભાગના બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે.આ વાવાઝોડાને કારણે દરિયા કાંઠાના મોટાભાગના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.તંત્ર દ્વારા હાલ લોકોને વાવઝોડાને લઈ સાવચેતી રાખવા માટેની પણ વારવાર અપીલ કરવામાં આવી રહી છે.તો બીજી બાજુ અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.શહેરમાં હવાની ગતિમાં વધારો જોવા મળ્યો છે.આ સાથે હવામાન વિભાગે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.