By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અડધી રાત્રે શિંદે સરકારની બેઠક, ફડણવીસ અને અજિત પવાર સામેલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અડધી રાત્રે શિંદે સરકારની બેઠક, ફડણવીસ અને અજિત પવાર સામેલ
GeneralMumbai

અડધી રાત્રે શિંદે સરકારની બેઠક, ફડણવીસ અને અજિત પવાર સામેલ

HM News
Last updated: 12/07/2023 8:20 AM
HM News
2 years ago
Share
Pc : ANI
SHARE

જ્યારથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી રાજ્યના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી રહી છે.સત્તાધારી ગઠબંધનમાં અજિત પવારના જૂથના સમાવેશથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના પક્ષના અન્ય નેતાઓ મંત્રાલયોની વહેંચણીના મુદ્દે નારાજ થયા હોવાનું માનવામાં આવે છે.જોકે, સીએમ એકનાથ શિંદે,ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ,ડેપ્યુટી સીએમ અજિત પવાર અને પ્રફુલ્લ પટેલે મંગળવારે મોડી રાત્રે મુખ્યમંત્રીના નિવાસસ્થાન વર્ષા બંગલામાં આ મુદ્દે બેઠક કરી હતી.

આ બેઠક સવારે 1.15 વાગ્યા સુધી ચાલી હતી

સીએમના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં શિવસેના, ભાજપ અને એનસીપીના આ મોટા નેતાઓએ લગભગ 1.5 કલાક સુધી કેબિનેટ વિસ્તરણ અને વિભાગોના વિભાજન પર ચર્ચા કરી.બેઠક 11.30 વાગ્યે શરૂ થઈ હતી અને મોડી રાત સુધી લગભગ 1.15 વાગ્યા સુધી ચાલુ રહી હતી.જણાવી દઈએ કે આ પાર્ટીઓના નેતાઓ વચ્ચે સતત ત્રણ દિવસમાં આ ત્રીજી બેઠક છે.સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બેઠક બાદ કેબિનેટનું જલદી વિસ્તરણ કરવામાં આવશે અને પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવશે.

અજિત પવારે રાજકીય ઉથલપાથલ કરી

ઉલ્લેખનીય છે કે સરકારમાં સામેલ થયા બાદ અજિત પવારએ કહ્યું હતું કે તેમની પાર્ટીએ દેશના વિકાસ માટે એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારનો ભાગ બનવાનો નિર્ણય કર્યો છે.જો કે, અજિત પવાર શાસક ગઠબંધનમાં જોડાવાથી શિંદેની છાવણી સૌથી વધુ અસ્વસ્થ લાગે છે, કારણ કે તે ભાજપ પર દબાણ લાવવાની તેમની શક્તિને ક્ષીણ કરશે.બીજી તરફ, રાજકીય પંડિતોનું માનવું છે કે એનસીપીમાં ભાગલા થવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી જશે એટલું જ નહીં, રાષ્ટ્રીય સ્તરે પણ તેની અસર પડશે અને વિપક્ષી એકતામાં તિરાડ જોવા મળી શકે છે.

અજિત પવારની સાથે સાથે કેટલાક ધારાસભ્યો પણ એકનાથ શિંદે જુથમાં જોડાયા છે.એનસીપીમાં અજિત પવારે બળવો કર્યા બાદ શરદ પવાર નાશિકના યેવલામાં પક્ષમાં પોતાની પકડને મજબૂત કરવા શક્તિપ્રદર્શન કર્યું હતું.આ સમયે તેમણે અહીંના મતદારોની માફી માગી હતી.આમ કરીને આડકતરી રીતે તેમણે છગન ભુજબળને અહીંથી ચાર વખત ઉમેદવારી આપી હોવાનો અફસોસ વ્યક્ત કરીને તેમને નિશાના પર લીધા હતા.

બીજી બાજુ શરદ પવારના આ નિવેદન વિશે છગન ભુજબળે કહ્યું કે એનસીપીના મારા સહિતના 40 વિધાનસભ્યો અજિત પવાર સાથે ગયા છે એટલે શરદ પવારસાહેબે આ તમામ 40 વિધાનસભા મતદારક્ષેત્રમાં જઈને માફી માગવી પડશે.શું તેઓ આવું કરશે? આમ કહી તેમણે શરદ પવારના નિવેદન પર વળતો જવાબ આપ્યો હતો.

એલોન મસ્કે રદ કરી 44 અબજ ડોલરની ટ્વિટર ડીલ, કંપની કોર્ટમાં જવા તૈયાર
સ્વરા ભાસ્કર અને દિવ્યા દત્તા અભિનીત ‘શીર કોરમા’નું ટ્રેલર રિલીઝ
કોરોનાની મહામારી વચ્ચે અમેરિકાની ફાર્માસ્યૂટિકલ કંપનીએ કર્યો મહત્વનો દાવો
લો બાલો, M S યુનિ.માં ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુની પ્રતિમાને પુષ્પાંજલિ પહેલા કોણ આપશે તેના પર મારામારી
ચીન પરની નિર્ભરતા ખતમ કરો : અમેરિકન કંપનીઓને ચીનમાંથી પછી બોલાવી લ્યો : અમેરિકન કોંગ્રેસમેન થોમ ટીલિસ
Share This Article
Facebook Email Print
Previous Article સરકાર સામે પૂર્વ મામલતદાર ડો.ચિંતન વૈષ્ણવ કેસ જીત્યા : સરકારે ફરજ પર હાજર થવા આપ્યો આદેશ
Next Article મહારાષ્ટ્ર : બીજેપીના ચાર પ્રધાનનાં પત્તાં કપાવાની શક્યતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up