જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં વહેલી સવારે RPF જવાને ફાઈરિંગ કરતા ચારના મોત : જુઓ વિડિઓ

HM News
3 Min Read

મુંબઈ : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે સવારે જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં થયેલા ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે.આ ફાયરિંગમાં એક પોલીસકર્મીનું પણ મોત થયું છે.આ ટ્રેન રાજસ્થાનથી મુંબઈ સેન્ટ્રલ આવી રહી હતી.ફાયરિંગની આ ઘટના કેવી રીતે અને શા માટે બની? તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આ ગોળીબાર સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ થયો હતો.હાલમાં આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર આવી ગઈ છે.ટ્રેનમાં ફાયરિંગની આ ઘટનામાં કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે.આ ઘટનામાં એક પોલીસકર્મીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.અટકાયત કરાયેલ પોલીસકર્મી આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરના રેન્ક પર પોસ્ટેડ છે.આ કેસમાં ચેતન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફાયરિંગ ટ્રેનના B-5 કોચમાં થયું હતું.મળતી માહિતી મુજબ આરોપી ચેતન સિંહે તેના સાથી એએસઆઈ ટીકારામ પર ફાયરિંગ કર્યું હતું.બોરીવલી સ્ટેશન પર ટ્રેન આવ્યા બાદ ત્રણ મુસાફરોના મોતની માહિતી પણ સામે આવી હતી.આ ઘટનાને કારણે વેસ્ટર્ન લાઇન પરની લોકલ ટ્રેન પણ 10 થી 15 મિનિટ મોડી ચાલી રહી છે.

પકડાયેલ આરોપી પોલીસ કર્મચારી એસ્કોર્ટ ડ્યુટી પર તૈનાત હતો.હાલ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.હાલ જે મુસાફરોના મોત થયા છે.તેના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.પશ્ચિમ રેલ્વેના સીપીઆરઓએ જણાવ્યું કે આરોપી આરપીએફ જવાન બોરીવલી સ્ટેશન પર અધવચ્ચે નીચે ઉતર્યો હતો.જોકે બાદમાં તે ઝડપાઈ ગયો હતો.હવે જીઆરપી આ મામલાની તપાસમાં લાગેલી છે.

રેલવે અધિકારીઓ તપાસમાં લાગેલા છે

મુંબઈમાં ડીઆરએમ નીરજ વર્માએ જણાવ્યું કે સવારે લગભગ 6 વાગે અમને માહિતી મળી કે આરપીએફ જવાને ગોળીબાર કર્યો હતો,જેમાં ચાર લોકો માર્યા ગયા હતા.આરોપી કોન્સ્ટેબલ એસ્કોર્ટ ડ્યુટી પર તૈનાત હતો.રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે.મૃતકોના પરિજનોને વળતરની જાહેરાત કરવામાં આવશે.

પશ્ચિમ રેલ્વેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે આજે મુંબઈ-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી.આરપીએફના એક કોન્સ્ટેબલ ચેતન કુમારે તેના સાથી એએસઆઈ ટીકારામ મીણા પર ગોળીબાર કર્યો હતો.આ દરમિયાન અન્ય ત્રણ મુસાફરોને પણ ગોળી વાગી હતી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ તેના સત્તાવાર હથિયારથી ફાયરિંગ કર્યું હતું.આરોપીની ધરપકડ કરવામાં આવી છે.ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.કેસની તપાસ કરવામાં આવી રહી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *