By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના: ગુજરાતમાં 55 કેસ નવા સામે આવતા આંકડો 241 પર પહોંચ્યો, અમદાવાદમાં 133 પોઝિટીવ કેસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > કોરોના: ગુજરાતમાં 55 કેસ નવા સામે આવતા આંકડો 241 પર પહોંચ્યો, અમદાવાદમાં 133 પોઝિટીવ કેસ
Breaking NewsGeneralGujarat Now

કોરોના: ગુજરાતમાં 55 કેસ નવા સામે આવતા આંકડો 241 પર પહોંચ્યો, અમદાવાદમાં 133 પોઝિટીવ કેસ

HM News
Last updated: 09/04/2020 6:07 AM
HM News
5 years ago
Share
SHARE

સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંકટ વધી રહ્યુ છે.(CORONA) ગુજરાતમાં કોરોના પોઝિટીવ કુલ કેસોની સંખ્યા 200ને પાર થઇ ગઇ છે.આજે વધુ નવા 55 કેસ સામે આવતા કોરોનાના કુલ કેસ 241 થયા છે.ગતરાતે સુરતમાં વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો હતો.આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધની બે વર્ષની પૌત્રીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.(CORONA) ટોટલ પોઝીટીવ 243 સામે આવ્યા છે.જ્યારે વિદેશ પ્રવાસ 33 કેસ આંતરરાજ્ય 32 લોકલ 176 કેસો સામે આવ્યા છે. સૌથી વધુ પોઝીટીવ કેસ અમદાવાદમાં નોંધાયા છે,જ્યાં 133 કેસો સામે આવ્યા છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં એક દર્દીનું મોત નિપજ્યું છે.

નવા 55 માંથી 50 કેસ અમદાવાદ હોટપોસ્ટ વિસ્તારમાં નોંધાયા

જ્યારે દાહોદમાં પણ એક પોઝીટિવ કેસ થયો છે..રાજ્યમાં ગઈકાલે બપોર બાદ વડોદરાના હોટસ્પોટ નાગરવાડામાં પાંચ અને ભાવનગરના હોટસ્પોટ સાંઢીયાવાડમાં બે અને અમદાવાદમાં બે પોઝિટિવ કેસ નોંધાયા હતા.અમદાવાદમાં કુલ 133 કેસો છે.

રાજ્યમાં વધતા કોરોનાના કેસ વચ્ચે રાહતના સમાચાર એ છે કે વધુ એક કોરોના પોઝીટીવ દર્દી સંપૂર્ણ સાજો થઈને ઘરે પહોંચ્યો છે..અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનો સૌ પ્રથમ પોઝીટીવ કેસ બન્યો હતો..તે દર્દીની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર થઈ હતી.અને ત્યાં સંપૂર્ણ સારવાર બાદ તેઓ ઘરે સહીસલામાત પહોંચતા સોસાયટીના રહીશોએ તાળીઓ વગાડી તેમની સ્વાગત કર્યુ હતુ.

રાજ્યમાં નવા 55 કેસોની વિગત

અમદાવાદ 50 કેસ
સુરત 02 કેસ
દાહોદ 01 કેસ
આણંદ 01 કેસ

રાજ્યમાં અત્યાર સુધી કુલ 18 લોકોના મોત નિપજ્યા

ગુજરાતમાં કોરોના પોઝિટીવ કુલ કેસોની સંખ્યા 200ને પાર થઇ ગઇ છે.આજે વધુ નવા 55 કેસ સામે આવતા કોરોનાના કુલ કેસ 241 થયા છે. જે નવા 55 કેસ આવ્યા છે તે પૈકી 50 કેસ એકલા અમદાવાદમાં હોટસ્પોટ વિસ્તારમાંથી સામે આવ્યા છે.આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા હોટસ્પોટ વિસ્તારોમાં ટેસ્ટિંગની પ્રક્રિયા વેગવાન બનાવતા એકસાથે વધુ પ્રમાણમાં પોઝિટીવ કેસ સામે આવ્યા છે..પરંતુ આના કારણે લોકોએ ગભરાવાની બિલકુલ જરૂર નથી. કોરોનાને કારણે અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે.પરિણામે રાજ્યમાં અત્યાર સુધી કુલ 18 લોકોના મોત નિપજ્યા છે..

મુશ્કેલીમાં ફસાયા પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીર, દિલ્હી પોલીસે માંગ્યા જવાબો, જાણો શું છે સમગ્ર મામલો?
6 મહાનગરપાલિકાની 576માંથી 201નો ટ્રેન્ડ, 141માં ભાજપ આગળ, 40માં કોંગ્રેસ આગળ, 16માં AAP અને ઓવૈસીની પાર્ટી AIMIM 4 સીટ પર આગળ
ભાદરવી પૂનમ : અંબાજીમાં યોજાતો મેળો આ વર્ષે મોકૂફ રાખવાને બદલે નિયંત્રણો સાથે યોજાઈ શકે
લેબનોને ઇઝરાયેલ ઉપર રોકેડ છોડતા મુશ્કેલી વધી
ઇન્ડસઇન્ડ બેંકમાં હિન્દુજા ગ્રુપ રૂ. 10,000 કરોડનું રોકાણ કરશે, હિસ્સો 26% થશે
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાના કારણે ચીનમાં નાની-મોટી પાંચ લાખ કંપનીઓ બંધ
Next Article કોરોનાના લક્ષણ નહિ હોવા છતાંય દર્દીનો રિપોર્ટ પોઝિટિવ,ગુજરાતનો પ્રથમ કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up