કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગાંધીનગરમાં ખળભળાટ મચ્યો છે.કારણ કે રીપોર્ટ માટે સેમ્પલ આપ્યા બાદ તેઓ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ,ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ગઈકાલની બેઠકમાં મળ્યા હતા.
આ બેઠક બાદ જાહેર થયું છે કે ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટિવ છે.જેના પગલે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી સેલ્ફ કોરોન્ટાઈન થયા છે. મુખ્યમંત્રી 14 દિવસ માટે બંગલા નંબર 26માં આઈસોલેશનમાં રહેશે.રૂપાણીએ હોમ ક્વોરંટાઈન થવાનો નિર્ણય લીધો
ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમનો ભત્રીજો અને ડ્રાઈવર હોમ ક્વોરન્ટીન થયા છે.જ્યારે MLAના સંપર્કમાં આવેલા 30 લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું પણ સેમ્પલ લેવાયું છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓમાં 56 નોંધાયા જેમાં અમદાવાદમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે.આ સાથે જ રાજ્યમાં પોઝિટિવ કેસોનો આંકડો 695 કેસ થયા છે.આજે કોરોનાના કારણે બે દર્દીના મોત થયા છે.જેમાં વડોદરામાં 14 વર્ષીય બાળકી અને સુરતમાં 45 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતું. કોટ વિસ્તારમાં લોકડાઉનના અમલને લઈ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.બપોરે મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી,ગૃહમંત્રી સાથે યોજાયેલી બેઠકમાં ભાગ લેવા તેઓ પહોંચ્યા હતા.મંગળવારે સાંજે તેમનો કોરોના ટેસ્ટ રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.જીફઁ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા સોમવારે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો
પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે,ધારાસભ્યના કલોઝ કોન્ટેકટમાં આવનારા રાજયના મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી,ગૃહમંત્રી અને કોંગ્રેસના બે ધારાસભ્યો ગ્યાસુદીન શેખ,શૈલેષ પરમારે તમામને હોમ કવોરન્ટાઈન કરવા પડે અને તમામના ટેસ્ટ પણ કરવા પડે.પ્રાપ્ત વિગત અનુસાર,જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા સોમવારે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.મંગળવારે બપોરે અમદાવાદના બફરઝોન જાહેર કરાયેલા કોટ વિસ્તારમાં સતત વધતા જતા કોરોના કેસ સંદર્ભમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઈમરાન ખેડાવાલાની સાથે દરીયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર પણ જોડાયા હતા.
કોટ વિસ્તાર અને દાણીલીમડામાં સતત વધતા જતા કેસોને નિયંત્રિત કરવા શું કરવું જોઈએ?એ બાબતની ચર્ચા કરવા બેઠક યોજાઈ
અમદાવાદના કોટ વિસ્તાર અને દાણીલીમડામાં સતત વધતા જતા કેસોને નિયંત્રિત કરવા શું કરવું જોઈએ?એ બાબતની ચર્ચા કરવા બેઠક યોજાઈ હતી.બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ,ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.જમાલપુર-ખાડિયાના ધારાસભ્યનો કોરોના ટેસ્ટનો રીપોર્ટ બુધવારે સાંજે પોઝિટીવ આવ્યો છે.નિયમ અનુસાર પોઝિટીવ પેશન્ટના સંપર્કમાં આવનાર તમામને હોમ કવોરન્ટાઈન કરવા પડે અને તમામના કોરોના ટેસ્ટ પણ કરાવવા પડે.બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ,ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા,ગ્યાસુદીન શેખ,શૈલેષ પરમાર હાજર હતા. ધારાસભ્યને કોરોના પોઝિટવ હોવાની બાબત સોશિયલ મિડીયામાં વાઈરલ થતા મુખ્યમંત્રી સહીત બેઠકમાં હાજર રહેનારા તમામને કવોરન્ટાઈન કરાશે?તમામના કોરોના ટેસ્ટ કરાશે? એ પ્રકારની કોમેન્ટો પણ લોકોએ વાઈરલ કરી હતી.ધારાસભ્યને કવોરન્ટાઈન કરી દેવાયા છે.બુધવારે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાશે.
ખેડાવાલા પછી આરોગ્ય સચિવ,ડીજીએ પણ એ જ સ્થળે પ્રેસ કોન્ફરન્સ કરી
કોરોના પોઝીટીવ ગ્રસ્ત એવા જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મંગળવારે સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલમાં પત્રકાર પરિષદ કરી હતી.આ પત્રકાર પરિષદમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયાના ચાલીસથી વધુ પત્રકાર,કેમેરામેન હાજર હતા.આ જ સ્થળે આ જ હોલમાં સાંજે ૭.૩૦ કલાકે આરોગ્ય સચિવ જયંતી રવિએ પ્રેસ કરી હતી. આરોગ્ય સચિવની પ્રેસ બાદ રાજયના ડીજીપી શિવાનંદ ઝા અને અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયાની સંયુકત પ્રેસ પણ આજ સ્થળે થઈ છે.આ તમામને કવોરન્ટાઈન કરી ટેસ્ટ કરાશે કે કેમ?ધારાસભ્ય મુખ્ય સચિવ અને ડીજીપીને પણ મળ્યા હતા.