કોરોના : રિયલ એસ્ટેટ સેકટરનો ભૂક્કો બોલાવી દેશે !

295

– મકાનોના ભાવમાં થઈ શકે છે ૨૦ ટકાનો મોટો કડાકો
– જેમની પાસે રૂપિયાની સગવડ છે : તેમના માટે પ્રોપર્ટી ખરીદવાની સારી તક છે

મુંબઈ,તા.૧૫: હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન (HDFC)ના ચેરમેન દીપક પારેખે મંગળવારે કહ્યું કે,કોરોના વાયરસ મહામારી પછી દેશમાં રિયલ એસ્ટેટની કિંમતોમાં ૨૦ ટકાનો દ્યટાડો આવી શકે છે.નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (Naredco) દ્વારા આયોજિત વેબિનારમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સને સંબોધતા તેમણે રિયલ એસ્ટેટનો ભાવ ઘટવો જોઈએ અને ઘટશે.મારું માનવું છે કે,Naredecoના અંદાજ લગભગ ૧૦-૧૫ ટકાનો છે.દરેકે ૨૦ ટકા (ઘટાડા) માટે તૈયાર રહેવું જોઈએ.દીપક પારેખે રાજય સરકારો,આરબીઆઈ અને ડેવલપર કોમ્યુનિટીને કેટલીક સલાહ આપી છે,જેનાથી રિયલ એસ્ટેટ સેકટર ફાઈનાન્શિયલ અને ઈકોનોમિક ક્રાઈસિસમાંથી બહાર આવી શકે છે.

પારેખે કહ્યું કે,ડેવલપર્સે સ્થિતિ સાથે સમજૂતી કરવી જોઈએ.તેમણે કહ્યું કે,ડેવલપર્સનું ફોકસ પ્રોજેકટ્સને પૂરા કરવા પર હોવું જોઈએ.પારેખે કહ્યું કે, જેમની નોકરીઓ પર કોઈ જોખમ નથી અને જેમની પાસે રૂપિયાની સગવડ છે,તેમના માટે પ્રોપર્ટી ખરીદવાની સારી તક છે.તેમણે કહ્યું કે,ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટ કેટલાક સેગમેન્ટમાં આર્થિક સંકટ,વધારે પ્રોફિટ અને એનપીએ જેવા ઘણા કારણોથી પહેલેથી જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું.કોવિડ-૧૯ના કારણે વિશ્વભરમાં આવેલી મંદીની રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટની માગ પર આ વર્ષે નકારાત્મક અસર પડશે.ઈન્ડિયા રેટિંગ્સ એજન્સી મુજબ,નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રિયલ એસ્ટેટ ડિમાન્ડમાં ઘટાડો આવવાની શકયતા છે.

પારેખે ડેવલપર્સને વધારે લાભ સામે ચેતવ્યા અને કહ્યું કે,બેધારી તલવાર પર ચાલવા જેવો સમય છે.શ્સારા સમયમાં તે તમારો નફો વધારે છે.ખરાબ સમયમાં તે સમને તોડી નાખે છે.લીવરેજના જોખમો સામે સતર્ક રહો.તેમણે ડેવલપર્સને મોરોટોરિયમનો અંતિમ વિકલ્પ તરીકે ઉપયોગ કરવાની સલાહ આપતા કહ્યું કે તે સુવિધાનો લાભ લેતા પહેલા પોતાની ક્ષમતા અને રણનીતિનું આંકલન કરવું જોઈએ.તેમણે ડવલપર્સને બેન્કર્સ સાથે લોન્ગ ટર્મ રિલેશનશિપ વધારવાની સલાહ પણ આપી.

Share Now