ગુજરાતમાં Corona નો કહેર વધી રહ્યો છે.આજે સવારે નવા કેસ નોંધાયા બાદ બપોર પછી ગુજરાતના બે જિલ્લા અરવલ્લી અને મહિસાગરમાં Corona ના 10 કેસ નોંધાયા છે. જેથી રાજ્યની તંત્ર વ્યવસ્થા પણ ચિંતામાં મૂકાઈ છે.અરવલ્લીમાં વધુ ચાર કેસ પોઝીટીવ સામે આવ્યા છે.જેમાં મોડાસાના સરડોઈ ગામના 23 વર્ષીય યુવક,મોડાસાની 24 વર્ષીય યુવતી,ધનસુરના 28 વર્ષીય યુવક અને મેઘરજના ગાય વાછરડા ગામની 22 વર્ષીય યુવતીનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. ચાર કેસ સામે આવ્યાના અડધો કલાકમાં જ વધુ બે કેસ કોરોના પોઝીટિવ નોંધાયા છે.સાઠંબા ગામના પિતા પુત્રને કોરોના પોઝીટીવ આવતા હવે અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝીટીવનો આંક 16 પર પહોંચ્યો છે.
જોકે, ખાસ કરીને ૧૫ એપ્રિલથી કોરોના વધુ વિકરાળ બન્યો છે અને તેના લીધે મૃત્યુ આંકમાં પણ વધારો થયો છે.૧૫થી ૧૯ એપ્રિલ એમ છેલ્લા પાંચ દિવસમાં ૩૫ વ્યક્તિના Corona થી મૃત્યુ થયા છે.ગુજરાતમાંકોરોનાથી ૬૩ના મૃત્યુ થયા છે અને તેમાંથી અડધાથી વધુ એટલે કે ૩૨ અમદાવાદમાં નોંધાયા છે.અમદાવાદમાં આજે એક જ દિવસમાં કોરોનાથી ૭ના મૃત્યુ થયા હતા.
ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં કોરોનાથી મૃત્યુ
તારીખ મૃત્યુ
10-04 01
11-04 03
12-04 02
13-04 02
14-04 02
15-04 05
16-04 03
17-04 05
18-04 12
19-04 10
કુલ 45
કોરોનાથી ભારતના જે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં ગુજરાત ત્રીજા સ્થાને છે.મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૨૧૧ના, મધ્ય પ્રદેશમાંથી ૭૨ના, ગુજરાતમાંથી ૬૩ના,દિલ્હીમાંથી ૪૩ના,રાજસ્થાનમાંથી ૨૨ના,તેલંગાણામાંથી ૧૮ના,આંધ્ર પ્રદેશમાંથી ૧૭ના,પંજાબ-કર્ણાટકમાંથી ૧૬ના કોરોનાથી મૃત્યુ થયા છે.