By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિશ્વમાં અસંગઠિત ક્ષેત્રના 160 કરોડ શ્રમિકો આજીવિકા ગુમાવી શકેઃ ILO
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વિશ્વમાં અસંગઠિત ક્ષેત્રના 160 કરોડ શ્રમિકો આજીવિકા ગુમાવી શકેઃ ILO
GeneralInternational

વિશ્વમાં અસંગઠિત ક્ષેત્રના 160 કરોડ શ્રમિકો આજીવિકા ગુમાવી શકેઃ ILO

HM News
Last updated: 01/05/2020 8:39 AM
HM News
5 years ago
Share
SHARE

– UNના ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટમાં દાવો કરાયો

સંયુક્ત રાષ્ટ્ર,

કોવિડ-19ની મહામારીના કારણે કામના કલાકોમાં ઘટાડો થાય બાદ વિશ્વભરમાં અસંગઠિત ક્ષેત્રના 1.6 અબજ શ્રમિકો સામે રોજગારી ગુમાવવાનું સંકટ પેદા થયું છે. આ સંખ્યા વૈશ્વિક સ્તર પર કુલ શ્રમબળથી અડધી છે.ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન(આઇએલઓ)એ કહ્યું છે કે 43 કરોડથી વધુ ઉદ્યોગ ખૂબ પ્રભાવિત છે, જેમાં રિટેઇલ અને ઉત્પાદન કરતાં ક્ષેત્રો સામેલ છે. આ માહિતી આઇએલઓ મોનિટરની ત્રીજી આવૃત્તિ ‘કોવિડ-19 અને કામની દુનિયા’માં બુધવારે પ્રકાશિત થઈ છે.વૈશ્વિક સ્તર પર લગભગ 3.3 અબજ શ્રમિકો છે. લગભગ બે અબજ નોકરીઓ અસંગઠિત અર્થવ્યવસ્થા વાળા ક્ષેત્રમાં છે અને આ એવા શ્રમિકો છે,જેમની નોકરી જવાનો સૌથી મોટો ખતરો છે.

સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ કહ્યું કે કોવિડ-19 મહામારીના કારણે આર્થિક પ્રગતિ સ્થગિત થવાથી અસંગઠિત ક્ષેત્રના 1.6 અબજ લોકોની સામે આજીવિકા ગુમાવવાનું સંકટ પેદા થયું છે.આઈએલઓના કહેવા અનુસાર બંધ અને ખૂબ પ્રભાવિત ક્ષેત્રોમાં કામ કરનાર આવા શ્રમિકોની આવક બંધ થવાથી પ્રથમ મહિનામાં વૈશ્વિક સ્તર પર 60 ટકાનો ઘટાડો થયો છે.આઇએલઓના ડાયરેક્ટર જનરલ ગાય રેડરે કહ્યું કે મહામારી અને નોકરીઓના સંકટના કારણે આ શ્રમિકોની આજીવિકાને સુરક્ષિત કરવી ખૂબ જરુરી છે.જો આજીવિકા સુરક્ષિત નહીં કરાય તો મજૂરોની મુશ્કેલી વધી શકે છે.

સ્માર્ટ સિટી વહીવટી તંત્રની બલિહારી, અમદાવાદમાં ૨૨૧૨ મિલકતના સીલ ટેકસ વસૂલ્યા વગર જ ખોલી દેવાયા
અડાજણના હેર માસ્ટર ફેમિલી નામના સ્પામાં દરોડા, જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો
ભાજપ પોતાની સરકાર સામે ન લડી શકે પણ પોલીસના હક્ક માટે ‘આપ’ એ આંદોલનમાં ઝંપલાવ્યું : CPને આવેદનપત્ર આપ્યું
સયાજીમાં ૧૮૦ કરોડના ખર્ચે ૬૦૦ બેડની અત્યાધુનિક મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ બનશે
ભાટ ગામે 6 માછીમારને મરીન PIએ ફટકારતા મામલો SPના દરબારમાં
Share This Article
Facebook Email Print
Previous Article ‘આલ્કોહોલથી હાથ ધોવાથી કોરોના ભાગે છે તો તેને પીવાથી ગળામાંથી પણ વાયરસ દૂર થશે’
Next Article વડાપ્રધાન મોદીએ રશિયાના વડાપ્રધાનને કોરોનામાંથી મુક્ત થવા શુભેચ્છા પાઠવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up