વસુંધરા રાજે અને દુષ્યંત સિંહે પોતાને સેલ્ફ આઈશોલેટ કર્યા
એજન્સી, લખનઉ
બોલીવૂડ સિંગર કનિકા કપૂરને કોરોના વાયરસ થયો છે. કનિકાએ લંડનથી પરત ફર્યા બાદ લખનઉની તાજ હોટલમાં પાર્ટી કરી હતી. જેમાં ભાજપના નેતા અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને તેમનો પુત્ર દુષ્યંત સિંહ પણ સામેલ થયા હતા. હવે વસુંધરા રાજે સિંધિયા અને દુષ્યંત સિંહે પોતાને આઈસોલેટ કર્યા હોવાની જાણકારી આપી છે.
ભાજપના નેતા વસુંધરા રાજે સિંધિયાએ ટ્વિટ કર્યું છે કે, કેટલાક દિવસ અગાઉ દુષ્યંત અને તેના સાસરીયાઓની સાથે લખનઉમાં એક ડિનર પર ગઈ હતી. કનિકા કપૂર જે કોવિડ-19થી સંક્રમિત થઈ છે તે પણ ત્યાં હાજર હતી. સાવધાની રાખતા હું અને દુષ્યંત સેલ્ફ આઈસોલેશનમાં છીએ અને અમે તમામ જરૂરી નિદર્શોનોનું પાલન કરી રહ્યા છીએ.
જણાવવામાં આવી રહ્યું છે કે, કનિકા કપૂર 15 માર્ચના રોજ લખનઉમાં એક પાર્ટીમાં સામેલ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આ પાર્ટી બીએસપીના નેતા અકબર ડંપી દ્વારા આયોજીત કરવામાં આવી હતી. તેમણે એક પાર્ટી તેમના ઘરે અને બીજી તાજ હોટલમાં આપી હતી. જેમાં લગભગ 500 લોકો સામેલ થયા હતા. પાર્ટીમાં હાજર રહેલા ભાજપના સાંસદ દુષ્યંત સિંહ આ પાર્ટી બાદ સંસદ પણ ગયા હતા.