કોરોના કંટ્રોલમાં આવતો હોય તો આનંદી બહેનને સીએમ નહીં પીએમ બનાવો : હાર્દિક પટેલ

285

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે કોરોનાના વધતા કેસને લઇ રાજ્ય અને કેન્દ્ર સરકારની ઊંઘ હરામ થઇ ગઈ છે.કોરોનાને કઈ રીતે કાબુમાં લેવો અને સંક્ર્મણ કઈ રીતે અટકાવવું તેના પર સવાલો છે.આ તમામની વચ્ચે રાજકીય ઘમાસાણ પણ ચાલી રહ્યું છે.રાજ્યમાં વધતા કોરોનાના કહેર સાથે રાજનીતિ પણ યથાવત છે.સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટ બાદ હાર્દિક પટેલે જવાબ આપતા કહ્યું કે,આનંદી બહેનના આવવાથી કોરોના કંટ્રોલમાં આવતો હોય તો આનંદી બહેનને પ્રધાનમંત્રી બનાવી દેવા જોઈએ.ગુજરાતમાં સત્તા પરિવર્તનના એંધાણ વચ્ચે ભાજપના નેતાએ આનંદી બહેન પટેલ ફરી રાજ્યના CM બને તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું,જો આનંદીબેન પટેલ ફરી ગુજરાતના મુખ્યમંત્રી બને,તો કોરોનાને રોકી શકાશે.

Share Now