હમાસનો લાદેન ગણાતો યાહ્યા સિનવાર કોણ છે? જાણો આતંકવાદના નવા ચહેરા વિષે

76

– ઈઝરાયેલી અધિકારી મુજબ સિનવાર અને ઓસામા બિન લાદેનમાં કોઈ જ તફાવત નથી
– જેમ અમેરિકા પર 9/11ના હુમલા પાછળ લાદેનનો હાથ હતો એમ ઈઝરાયેલના હવાઈ હુમલાનો આ માસ્ટરમાઈન્ડ છે

હમાસના ચોંકાવનારા હુમલા બાદ હમાસના બીજા નેતા યાહ્યા સિનવારનું નામ ફરી એકવાર ચર્ચામાં છે.ઇઝરાયેલી અધિકારીઓએ સિનવારને “દુષ્ટતાનો ચહેરો” ગણાવ્યો છે અને તેને અને તેના કાર્યકરોને ગાઝામાંથી ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ઈઝરાયેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર સિનવાર અને ઓસામા બિન લાદેન વચ્ચે કોઈ તફાવત નથી.તેમનું કહેવું છે કે જે રીતે અમેરિકા પર 9/11ના હુમલા પાછળ લાદેનનો હાથ હતો તે જ રીતે સિનવાર ઈઝરાયેલ પરના હવાઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.આ હુમલામાં 1300 ઈઝરાયેલના લોકો માર્યા ગયા હતા.

કોણ છે સિનવાર?

1962માં જન્મેલ સિનવાર દક્ષિણ ગાઝાના યુનિસ શહેરમાં થયો હતો.આ એરિયા તે સમયે ઇજિપ્તના કંટ્રોલમાં હતો.ઇઝરાયેલી સેનાએ તેને “ખાન યુનિસનો કસાઈ” તરીકે ઓળખાવ્યો છે.અહેવાલો અનુસાર, સિનવારનો પરિવાર સૌપ્રથમ એશકેલોનમાં સ્થાયી થયો હતો, જે હવે દક્ષિણ ઇઝરાયેલમાં છે,પરંતુ ઇઝરાયેલે 1948માં અગાઉ અલ-મજદલ તરીકે ઓળખાતા અશ્કેલોન પર નિયંત્રણ મેળવ્યા બાદ ગાઝામાં સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.સિનવારે ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીમાંથી અરબી અભ્યાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.

24 વર્ષ જેલમાં વિતાવ્યા

સિનવાર 24 વર્ષ ઈઝરાયેલની જેલમાં રહ્યો હતો. 1982માં વિનાશક પ્રવૃતિઓ બદલ તેની પ્રથમવાર ધરપકડ કરવામાં આવી હતી.ત્યાર છીના વર્ષોમાં, તેણે પેલેસ્ટિનિયન ચળવળમાં ઇઝરાયલી જાસૂસોને લક્ષ્ય બનાવવા માટે એક યુનિટ બનાવવા માટે સાલાહ શેહાદેહ સાથે ગઠબંધન કર્યું હતું.શેહદેહને 2002માં ઇઝરાયલી દળોએ ઠાર માર્યો હતો, જ્યારે તે હમાસની લશ્કરી પાંખનું નેતૃત્વ કરી રહ્યો હતો. 1987માં હમાસની સ્થાપના પછી, સિનવાર હમાસમાં પ્રિય બની ગયો. 1988માં, બે ઇઝરાયેલી સૈનિકો અને ચાર પેલેસ્ટિનિયનોની હત્યામાં તેની ભૂમિકા બદલ સિનવારની ધરપકડ કરવામાં આવી હતી.

જયારે ઈઝરાયેલે સિનવારને કેદમાંથી મુક્ત કર્યો

2006 માં, હમાસની લશ્કરી પાંખ, ઇઝ અદ-દિન અલ-કાસમ બ્રિગેડની એક ટીમે ઇઝરાયેલના પ્રદેશમાં પ્રવેશવા માટે એક સુરંગનો ઉપયોગ કર્યો અને લશ્કરની ચોકી પર હુમલો કર્યો.તેઓએ બે ઇઝરાયેલી સૈનિકોને મારી નાખ્યા,ઘણા ઘાયલ થયા અને એક સૈનિક ગિલાડ શાલિતને પકડી લીધો.શાલિતને પાંચ વર્ષની જેલ થઈ. તેને 2011માં કેદી સ્વેપ ડીલમાં છોડવામાં આવ્યો હતો.શાલિતની મુક્તિ માટે, ઇઝરાયેલે 1,027 પેલેસ્ટિનિયન અને ઇઝરાયેલી આરબ કેદીઓને મુક્ત કર્યા હતા.તેમાંથી એક સિનવર હતો.

તેને 2017માં મળી ગાઝાની કમાન

તેની મુક્તિ પછીના વર્ષોમાં, સિનવાર હમાસના રેન્કમાં, ખાસ કરીને તેની સેનામાં ઉભરી આવ્યો. 2015માં સિનવાર અમેરિકાની વોન્ટેડ આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં સામેલ થયો હતો.સિનવારને આતંકવાદી તરીકે જાહેર કરતા US સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે તે “હમાસની સેના ઇઝેદીન અલ-કાસમ બ્રિગેડના અગ્રદૂતની સ્થાપનામાં તેની ભૂમિકા માટે જાણીતો છે”. 2017માં, સિનવાર ગાઝામાં હમાસના વડા તરીકે ચૂંટાયા હતા.

હાનિયેહ બાદ બીજો પ્રમુખ નેતા

હમાસના નેતૃત્વમાં સંગઠનના રાજકીય બ્યુરોના વડા ઈસ્માઈલ હાનિયેહ પછી સિનવાર નંબર બે પર છે.તેણે સતત ઇઝરાયેલ સામે સશસ્ત્ર સંઘર્ષની હિમાયત કરી છે અને સમાધાનની કોઈપણ ફોર્મ્યુલાની વિરુદ્ધ છે.તે તેના ઉગ્ર ભાષણો માટે જાણીતા છે. અહેવાલો કહે છે કે તે હમાસ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા ધરાવે છે.તે પણ જાણીતું છે કે જ્યારે હમાસના ઓપરેટિવ્સ પર નજર રાખવાની વાત આવે ત્યારે સિનવાર કોઈ જોખમ લેતું નથી.

ઓસામા બિન લાદેનનો બીજો ચહેરો

ઇઝરાયેલે સિનવર પર હુમલાના માસ્ટરમાઇન્ડિંગનો આરોપ લગાવ્યો છે.ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસના લેફ્ટનન્ટ કર્નલ રિચાર્ડ હેચે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “યાહ્યા સિનવાર દુષ્ટતાનો ચહેરો છે.તે ઇઝરાયેલ પર હવાઈ હુમલા પાછળનો માસ્ટરમાઇન્ડ છે, જેમ ઓસામા બિન લાદેન 9/11 માટે હતો.

Share Now