By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અડધો ડઝન લોકોની ગેંગ જજોને ખંડણી આપે છે: સાંસદ ગોગોઇ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > અડધો ડઝન લોકોની ગેંગ જજોને ખંડણી આપે છે: સાંસદ ગોગોઇ
Breaking NewsGeneralNational

અડધો ડઝન લોકોની ગેંગ જજોને ખંડણી આપે છે: સાંસદ ગોગોઇ

HM News
Last updated: 20/03/2020 12:48 PM
HM News
5 years ago
Share
SHARE

-આ લોકોનો ખાતમો નહીં થાય ત્યાં સુધી ન્યાયવ્યવસ્થા સ્વતંત્ર નહીં થાય
-કોઇ કેસ મરજી મુજબ ના ચાલે તો ખંડણી આપીને કેસ અટકાવે છે: પૂર્વ ચીફ જસ્ટિસ

એજન્સી, નવી દિલ્હી:

કોંગ્રેસ સહિત વિપક્ષ દળોના વિરોધ વચ્ચે રાજ્યસભાના સભ્યપદે શપથ ગ્રહણ કર્યા બાદ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ ભારતીય ન્યાયતંત્ર અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. પૂર્વ ચીફ જસ્ટિસે જણાવ્યું કે અડધો ડઝન જેટલા લોકો એવા છે જે જજોને ખંડણી ચૂકવતા આવ્યા છે. આ ગેંગ એક લોબીની જેમ કામ કરીને ન્યાયતંત્રને નબળુ કરી રહી છે. આથી, તેનો ખાતમો કર્યા સિવાય ન્યાયવ્યવસ્થા સ્વતંત્ર નહીં થાય.

જોકે પૂર્વ ચીફ જસ્ટિસે જાણકારી ન આપી કે તેઓ કઇ લોબીની વાત કરી રહ્યા છે, જે ન્યાયતંત્રમાં ખંડણી આપી રહ્યા છે? ગોગોઇએ આગળ કહ્યું કે ન્યાયપાલિકાની સ્વતંત્રતાનો અર્થ છે કે આ પ્રકારની લોબીની પકડને તોડી પાડવી. જ્યાં સુધી આવી લોબીનો ખાતમો નહીં થાય ત્યાં સુધી ન્યાયતંત્ર સ્વતંત્ર નહીં બને. જો કોઇ કેસ એમની મરજી પ્રમાણે નથી ચાલતો તો ખંડણી આપીને કેસ રોકી લે છે. તેઓ સંભવ તમામ રસ્તાઓ અપનાવી જજોની કાર્યવાહીને નડતરરુપ થવાના પ્રયત્ન કરતા રહે છે.

ગોગોઇ મુજબ જજો માટે તેમના મનમાં એક પ્રકારનો ડર છે. જજ આવું નથી ઇચ્છતા અને શાંતિથી નિવૃત થવા માંગે છે.

નોંધનીય છે કે અયોધ્યા અને રાફેલ કેસનો નિર્ણય કેન્દ્ર સરકારની પક્ષમાં ગયો હતો, જે પછી કોંગ્રેસ અને વિપક્ષ દળોએ આરોપ લગાવ્યા હતા કે “રાજ્યસભાનું સભ્યપદ” કેન્દ્ર સરકાર તરફથી પૂર્વ જસ્ટિસ રંજન ગોગોઇને ભેટ છે. જેની પર ગોગોઇએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

વિવાદાસ્પદ આચરણ અને ભ્રષ્ટાચારનો પર્યાય બની ચૂકેલા તાપી DEO ભરત પટેલ : ACB વિસ્તૃત તપાસ કરે તો ભરત પટેલની કરોડોની બેનામી સંપત્તિનો દલ્લો મળે તેવી શક્યતા
આજે મળનાર કેબિનેટની બેઠક CMએ કેમ અચાનક કરી રદ્દ ?, જાણો શું હતુ કારણ
ઉદ્યોગપતિ રતન ટાટાએ હિન્દી નહીં આવડવા બદલ લોકોની માફી માંગી
સુરત, સૌરાષ્ટ્ર અને સાબરકાંઠાની 40 બેઠકો સાથે AAP ની એન્ટ્રી
રાજકોટમાં RK ગ્રુપની 42માંથી 17 જગ્યાએ તપાસ પૂર્ણ, 300 કરોડના બિનહિસાબી દસ્તાવેજો મળ્યા
Share This Article
Facebook Email Print
Previous Article ચાર દિવસમાં કોરોના વાયરસ થઇ જાય છે ખત્મ, ચીને આ દવાથી હજારો દર્દીઓને કર્યા સ્વસ્થ
Next Article બારડોલીમાં ઇન્ફેકટેડ લોકોને કોરોન્ટાઈન કરવા 1000 રૂમ તૈયાર કરાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up