By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર: 108 નવા કેસ, પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1851એ પહોંચી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર: 108 નવા કેસ, પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1851એ પહોંચી
AhmedabadGeneral

ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર: 108 નવા કેસ, પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1851એ પહોંચી

HM News
Last updated: 20/04/2020 6:47 AM
HM News
5 years ago
Share
SHARE

– અમદાવાદમાં કોરોનાના નવા 91 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો 1192 થયો

અમદાવાદ, તા. 20 એપ્રિલ 2020 સોમવાર

ગુજરાતમાં કોરોનાના નવા 108 દર્દીઓ નોંધાયા છે કુલ આંકડો 1851 પર પહોંચ્યો છે.અમદાવાદમાં 91 નવા કેસ, અરવલ્લીમાં 6, કચ્છ 2, મહીસાગર 1, પંચમહાલ 2, રાજકોટ 2, સુરત 2 અને વડોદરામાં 1 પોઝિટીવ આવ્યા છે.106 જેટલા લોકો આ બિમારી સામે લડીને જીતીને ઘરે પરત ફર્યા છે.

અમદાવાદમાં ગાયકવાડ હવેલી, રાયખડ, જમાલપુર, આસ્ટોડિયા, બહેરામપુરા, દરિયાપુર, બાપુનગર, કાલુપુર, સરસપુર, દાણીલીમડા વિસ્તારોમાં નવા કેસો નોંધાયા છે.

અમદાવાદ 91 નવા કેસો નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કારણે વધુ 4 લોકોના મોત નીપજ્યા છે.રાજ્યમાં 108 નવા કેસ આવ્યા છે.આ કેસો 66 જેટલા કેસ હોટ સ્પોટ વિસ્તારમાંથી આવ્યા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 1851 પોઝિટીવ કેસ, અમદાવાદમાં 91 નવા કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં 32,204 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં વધુ ત્રણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકાશે.

આંકડો 1851 પર પહોંચ્યો

મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના બે કેસ નોંધાયા છે.સંતરામપુરના શિર ગામમાં મહિલા અને પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.બન્ને દર્દી ગોધરા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સના સંપર્કમાં હતા.જેથી બન્ને દર્દીને સંતરામપુરના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ગઈ કાલ સાંજથી સુરત અને અમદાવાદમાં 2-2 મોત નોંધાયા છે.67 લોકોના અત્યાર સુધીમાં મોત નિપજ્યા છે.

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં ગુજરાતની જાણકારી આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના નવા વધુ 108 પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં અમદાવાદમાં 91, અરવલ્લી 6, કચ્છ,પંચમહાલ,રાજકોટ અને સુરતમાં 2-2, મહીસાગર, મહેસાણા અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1851 પર પહોંચ્યો છે.અત્યાર સુધીમાં રાજ્યમાં 67 લોકોનાં મોત થયા છે.

જ્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઇને એક અન્ય મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં આજથી કોરોનાના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઇ શકશે.જેમાં સ્ટર્લિંગ, HCG અને નારાયણી હોસ્પિટલમાં કોરોનાને લઇને સારવાર લઇ શકાશે. આ અંગે માહિતી આપતાં જયંતિ રવિએ કહ્યું કે દર્દીઓ ચાર્જ ચુકવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ શકે છે.

37 વર્ષ બાદ સ્કૂલના મિત્રો સ્કૂલમાં જ ભેગા થયા અને વૃક્ષારોપણ કર્યું
બોગસ બિલિંગ કેસમાં એટીએસે ૧૨ જિલ્લામાંથી ૮૫ લોકોને શોધીને GSTના હવાલે કર્યા
દલિત નેતા જીજ્ઞેશ મેવાણીની મધરાતે ધરપકડ
વૈશ્વિક મંદીના એંધાણ ! સિલિકોન વેલી બેંક બાદ હવે સિગ્નેચર બેંકને તાળાં લાગ્યા
અમદાવાદમાં કોરોનાને કારણે બીજું મોત
Share This Article
Facebook Email Print
Previous Article સુરત જઈ રહેલા સાધુઓનું પાલઘરમાં મૉબ લિન્ચિંગ, 110 લોકોની ધરપકડ
Next Article પાલઘર મોબ લિંચિંગઃ ઉદ્ધવ ઠાકરે સાથે સીએમ યોગી આદિત્યનાથે કરી વાત, કઠોર કાર્યવાહીની કરી અપીલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up