– અમદાવાદમાં કોરોનાના નવા 91 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો 1192 થયો
અમદાવાદ, તા. 20 એપ્રિલ 2020 સોમવાર
ગુજરાતમાં કોરોનાના નવા 108 દર્દીઓ નોંધાયા છે કુલ આંકડો 1851 પર પહોંચ્યો છે.અમદાવાદમાં 91 નવા કેસ, અરવલ્લીમાં 6, કચ્છ 2, મહીસાગર 1, પંચમહાલ 2, રાજકોટ 2, સુરત 2 અને વડોદરામાં 1 પોઝિટીવ આવ્યા છે.106 જેટલા લોકો આ બિમારી સામે લડીને જીતીને ઘરે પરત ફર્યા છે.
અમદાવાદમાં ગાયકવાડ હવેલી, રાયખડ, જમાલપુર, આસ્ટોડિયા, બહેરામપુરા, દરિયાપુર, બાપુનગર, કાલુપુર, સરસપુર, દાણીલીમડા વિસ્તારોમાં નવા કેસો નોંધાયા છે.
અમદાવાદ 91 નવા કેસો નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કારણે વધુ 4 લોકોના મોત નીપજ્યા છે.રાજ્યમાં 108 નવા કેસ આવ્યા છે.આ કેસો 66 જેટલા કેસ હોટ સ્પોટ વિસ્તારમાંથી આવ્યા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 1851 પોઝિટીવ કેસ, અમદાવાદમાં 91 નવા કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં 32,204 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં વધુ ત્રણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકાશે.
આંકડો 1851 પર પહોંચ્યો
મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના બે કેસ નોંધાયા છે.સંતરામપુરના શિર ગામમાં મહિલા અને પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.બન્ને દર્દી ગોધરા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સના સંપર્કમાં હતા.જેથી બન્ને દર્દીને સંતરામપુરના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ગઈ કાલ સાંજથી સુરત અને અમદાવાદમાં 2-2 મોત નોંધાયા છે.67 લોકોના અત્યાર સુધીમાં મોત નિપજ્યા છે.
રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં ગુજરાતની જાણકારી આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના નવા વધુ 108 પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં અમદાવાદમાં 91, અરવલ્લી 6, કચ્છ,પંચમહાલ,રાજકોટ અને સુરતમાં 2-2, મહીસાગર, મહેસાણા અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1851 પર પહોંચ્યો છે.અત્યાર સુધીમાં રાજ્યમાં 67 લોકોનાં મોત થયા છે.
જ્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઇને એક અન્ય મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં આજથી કોરોનાના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઇ શકશે.જેમાં સ્ટર્લિંગ, HCG અને નારાયણી હોસ્પિટલમાં કોરોનાને લઇને સારવાર લઇ શકાશે. આ અંગે માહિતી આપતાં જયંતિ રવિએ કહ્યું કે દર્દીઓ ચાર્જ ચુકવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ શકે છે.