By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા લોકો ઉતાવળા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા લોકો ઉતાવળા
GeneralGujarat NowSurat

સુરતમાં જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા લોકો ઉતાવળા

HM News
Last updated: 16/03/2020 12:45 PM
HM News
5 years ago
Share
SHARE

– કોરોનાના કારણે અફવાથી લોકોમાં ગભરાટ

– પુરની સ્થિતિ હોય તેમ લોટ, શાકભાજી, અનાજ વગેરે વસ્તુ ભરી દીધીઃ સેનેટાઈઝર આઉટ ઓફ સ્ટોક થતાં કાળા બજારની ભીતી.

સુરત, તા.16 માર્ચ 2020, સોમવાર

કોરોના વાઈરસ સામે સુરતીઓ તકેદારી રાખી રહ્યાં છે પરંતુ કેટલાક લોકો અફવાથી પણ ગભરાઈ રહ્યાં છે.અફવાથી ગભરાયેલા લોકો જીવન જરૂરીયાતની વસ્તુ લેવા માટે ઉતાવળા બન્યા છે.પુરની સ્થિતિ હોય તેમ લોકોએ અનાજ,લોટ અને શાકભાજી જેવી વસ્તુઓનો સ્ટોક કરી દીધો છે.

ચોમાસા દરમિયાન ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતું હોય ત્યારે સુરતમાં અફવા બજાર ગરમ થઈ જાય છે.મ્યુનિ.તંત્રના અનેક પ્રયાસ છતાં અફવા બજારના કારણે લોકો જીવન જરૂરીયાતની વસ્તુ લેવા માટે પડાપડી કરતાં હોય છે. જોકે, આ વર્ષે જાગૃત્તિ છતાં પણ કોરોના વાઈરસના નામે કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યાં છે. કેટલાક લોકોમાં કોરોના પ્રત્યે વધુ જાગૃત્તિ છે.પરંતુ જે લોકોમાં જાગૃત્તિ ન હોય તે લોકો અફવાનો ભોગ બની રહ્યાં છે.

મોલ બંધ હોવાની વાતના કારણે ગઈકાલથી જ લોકો જીવન જરૂરીયાતની વસ્તુ ખરીદવા માટે ઉતાવળા બની ગયાં હતા.ગઈકાલે જ કેટલીક સુપર માર્કેટ,અનાજની દુકાનમાં લોકોની ભીડ જોવા મળી હતી. લોકો બિસ્કીટ અને અન્ય નાસ્તા સાથે- સાથે તૈયાર લોટ, અનાજ અને કાંદા- બટાકા સહિતના શાકભાજીની ખરીદી કરતાં જોવા મળ્યા હતા.જે સીલસીલો આજે પણ યથાવત છે.

કોરોના વાઈરસના કારણે હાથ બરોબર ધોવા માટે સાબુ તથા સેનેટાઈઝરનો ઉપયોગ કરવા માટે સરકાર દ્વારા સુચના આપવામાં આવે છે. જેના કારણે લોકોએ સેનેટાઈઝર ખરીદવા માટે તુટી પડયા હોય તેવો માહોલ છે. મોટા સ્ટોર્સમાં સેનેટાઈઝર આઉટ ઓફ સ્ટોક હોવાનું કહેવામાં આવે છે. ભાગ્યે જ કોઈ જગ્યાએ સેનેટાઈઝર ન હોવાથી બ્લેક માર્કેટીંગ થાય તેવી ભીતી થઈ રહી છે.કોરોના વાઈરસ માટે હાલ જાગૃત્તિ જરૂરી છે, પરંતુ કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યાં હોય જીવન જરૂરીયાતની વસ્તુ ખરીદવા માટે લોકો દોડી રહ્યાં છે.

PATEL VS PATIL : શહેર ભાજપના સંગઠનમાં પાટીદારોને અન્યાય થાય છે : બેઠકમાં સૂર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે 4 જુલાઈએ વિશ્વાસનો મત માગશે
અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન ભાગેડુ જાહેર, યુપી પોલીસે ઘર ઉપર લગાવી નોટિસ
દેશમાં 10 ઓગસ્ટથી 3 દિવસીય હડતાલ, ટ્રાન્સપોર્ટરોએ આપી ચક્કાજામની ચીમકી
ઇચ્છાનાથમાં સ્પા-મસાજની આડમાં ફ્લેટમાં દેહવ્યાપારના ગુનામાં આગોતરા નકારાયા
Share This Article
Facebook Email Print
Previous Article નિર્ભયા કેસ: ફાંસી રોકવા દોષિતો હવે ICJના શરણે
Next Article સુરત: કોરોના વાઇરસને કારણે કાપડબજાર બંધ રાખવાનો નિર્ણય હજુ લેવાયો નથી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up