અમદાવાદ, તા.૧૧: કોવિડ-૧૯ના સંકટ પછી રોકડની તંગી અને મંદ પડેલા ઈકોનોમિક ગ્રોથને જોતાં અમદાવાદ IIMના પ્રોફેસર સબેસ્ટિઅન મોરિસે ભારતમાંથી તાત્કાલિક લોકડાઉન ઉઠાવી લેવાની સલાહ આપી છે.ડીપેનિંગ ક્રાઈસિસ ઓફ ઈન્ડિયન ઈકોનોમી વિષય પર ઓનલાઈન પબ્લિક લેક્ચરને સંબોધતા મોરિસે કહ્યું,લોકડાઉનથી માત્ર ભારતની મેડિકલ સિસ્ટમને મદદ મળશે તેનાથી વિશેષ કંઈ નહીં થાય.પ્રોફેસર મોરિસે કહ્યું,માગ ધીમી પડવી એ એકમાત્ર સમસ્યા નથી,પરંતુ આપણે તેને સંપૂર્ણપણે પહેલા જેવી નહીં બનાવી શકીએ.સ્થિતિ દેખાય છે તેના કરતાં વધુ ગંભીર છે.જો અત્યારે યોગ્ય પગલાં ભરવામાં ના આવ્યા તો અર્થતંત્ર ભાંગી પડશે.લોજિસ્ટિક સિસ્ટમ અને પ્રોડક્શન સિસ્ટમને ભાંગી પડતા કેવી રીતે રોકવી અને માગ કઈ રીતે વધારવી તે વિચારવાનું છે.ભારતમાં હાલ લોકડાઉન ઉઠાવી લેવાની તાતી જરૂર છે.ભારતમાં લોકડાઉનનો હેતુ સિદ્ધ થયો નથી કારણકે તે પ્રાદેશિક છે.આપણે વિસ્તારોને લોકડાઉન કર્યા છે જે મદદ નહીં કરી શકે.તેના બદલે કોઈ ચોક્કસ વિસ્તારમાં અમુક પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને અમુક પ્રતિબંધિત કરીને લોકડાઉન કરવાનું હતું.પ્રોફેસર મોરિસના મતે,કોવિડ-૧૯નું સંકટ લાંબા સમય સુધી આપણો પીછો નહીં છોડે.તેમણે જણાવ્યું,જાહેર અને ખાનગી ક્ષેત્રને સંગઠિત કરીને વધુ સારી હેલ્થકેર સિસ્ટમ વિકસાવી શકાશે.સાથે જ હેલ્થકેર અને સેનિટાઈઝેશનના માળખાને વધુ સુઘડ બનાવવામાં આવે તો કોવિડ-૧૯ સામેની લડતમાં મદદ મળશે.ઉપરાંત લોકો વચ્ચે અંતર જળવાય તેવા પ્રયાસો પણ સરકાર,પોલીસ અને એનજીઓએ સાથે મળીને કરવા જોઈએ.
પ્રોફેસર મોરિસે સૂચવ્યું કે,પરપ્રાંતીય મજૂરોને પણ પરત બોલાવી લેવા જોઈએ.પ્રોફેસર સબેસ્ટિઅન મોરિસે જણાવ્યું,શહેરી વિસ્તારોમાં પરપ્રાંતીય મજૂરોને પરત લાવવા માટે તબક્કાવાર કામગીરી કરવી જરૂરી છે.સૌપ્રથમ તો ઉદ્યોગોમાં ફિઝિકલ ડિસ્ટન્સિંગ જળવાય તેના માટે સુવિધા ઊભી કરવી પડશે.તો બીજી તરફ એનજીઓ કંપનીઓ અને ઔદ્યોગિક એકમો પણ પોતાના ત્યાં ફિઝિકલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે સુનિヘતિ કતે પછી પરપ્રાંતીય શ્રમિકોને પરત લાવીને ઉત્પાદન કાર્ય ફરી શરૂ કરી શકાય છે.


