[weather_data]
Breaking News
TRENDING NEWS

ભાજપના કોર્પોરેટર રાજુ નંદવાણીનું કોરોનાને કારણે મોત, ભાજપમાં શોક

[updated_date] [post_views]

Table of Content

જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના વોર્ડ નં 6ના કોર્પોરેટર રાજુભાઈ નંદવાણીનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે.રાજુભાઈ નંદવાણી સિંધી સમાજના મોભી હતા. થોડા દિવસ અગાઉ તબિયત લથડતાં તેઓને રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જેના બાદ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સાથે જુનાગઢના અગ્રણી વેપારી પણ હતા.રાજુભાઈ નંદવાણીના નિધનથી સિંધી સમાજ અને ભાજપમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.

ઉલ્લેખનીય છે કે,છેલ્લાં 24 કલાકમાં જુનાગઢ જિલ્લામાં 31 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.શહેરના 19 અને જીલ્લામાં 12 મળી કુલ 31 પોઝિટિવ કેસ નોંધાયા છે.કોરોનાથી 1 અને કોરોના સાથે અન્ય ગંભીર બીમારીના કારણે 3 મળી કુલ 4 મૃત્યુ નોંધાયા છે.તો 24 કલાકમાં 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.હાલ જુનાગઢમાં એક્ટિવ કેસ 136 છે.તો આ સાથે જ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 607 છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles